For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશરના કર્મચારીઓ બાકી પગાર મુદ્દે ફરી ભૂખ હડતાલ કરશે

|
Google Oneindia Gujarati News

kingfisher-airlines-with-vijay-malya
મુંબઇ, 16 સપ્ટેમ્બર : બંધ કરી દેવામાં આવેલી કિંગફિશર એરલાઈન્સના કર્મચારીઓએ તેમના વેતન પેટે બાકી રહેતી રકમ મેળવવાની નવેસરથી માગણી કરી છે. કંપનીના અધ્યક્ષ વિજય માલ્યાએ એરલાઈનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ખાતરી આપી હોવા છતાં કર્મચારીઓએ અનશન પર ઊતરવાની નોટિસ આપી છે.

કર્મચારીઓને છેલ્લે 2012ના જુલાઈમાં વેતનની રકમ મળી હતી. એક વર્ષથી વધુ સમય પસાર થવા છતાં તેમને બાકી પગાર નહીં મળતા શહેરના કર્મચારીઓના એક વર્ગે શાંતિમય માર્ગે આંદોલન શરૂ કર્યું છે. ગયા ઑક્ટોબર મહિનાથી ભૂમિગત કરવામાં આવેલી એરલાઈન્સમાં માર્ચ મહિનામાં 2,851 કર્મચારી હતા.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે 'અમને 2012ના જુલાઈ મહિનાનું વેતન આપવામાં આવ્યું હતું ત્યાર પછી એપ્રિલ મહિનાથી અમને વેતન નહીં મળતાં અમારી હાલત ખરાબ થઈ ગઈ છે.' કર્મચારીઓએ મેનેજમેન્ટને આપેલી બે અઠવાડિયાની નોટિસની મુદત આગામી ગુરુવારે પૂરી થાય છે.

માલ્યાએ એરલાઈન્સની આવી દશા માટે મીડિયા સહિત અન્યો પર આક્ષેપ કર્યો હતો, પણ શેરહોલ્ડરોને જણાવ્યું હતું કે કંપની એરલાઈન્સ ફરી શરૂ કરવા સત્તાવાળા સાથે વાટાઘાટ કરી રહી છે.

English summary
Kingfisher's deprived employees will again start hunger strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X