કિંગફિશરના મેનેજમેન્ટ અને કર્મીઓ વચ્ચે બેઠક

અધિકારીએ કહ્યું કે કંપની તરફથી આપવામાં આવેલા કોઇપણ પ્રસ્તાવનો અમે સ્વિકાર કરીશું શરત એ છે કે તે તાર્કીક હોય અને અમારી મિનિમમ માંગો પૂરી કરવામા આવે. સંકટમાં ફસાયેલી વિમાન કંપનીનું સંચાલન બંધ થવાથી 6500 કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઇ ગઇ છે. દરેક કર્મચારીઓનો એક દિવસનો પગાર કુલ મળીને 21 કરોડ રૂપિયાની આસપાસનો થાય છે.
વિમાન કંપનીએ શુક્રવારે એક ઑક્ટોબરને તાળાબંધી કરવાના સમયને વધારીને 23 ઑક્ટોબર કર્યો હતો. કર્મચારીઓ માર્ચથી બાકી રહેલા પગારની માંગણીને લઇને એક ઑક્ટોબરથી અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સતત પગાર નહીં મળવાના કારણે તેમનું મનોબળ નબળું થઇ ગયું છે જેનાથી સંચાલન સ્તર પર પણ જોખમ વધ્યો છે. નાગરીક ઉડ્ડયનમંત્રી અજિત સિંહે શનિવારે ચેતવણી આપી કે જો વિમાન કંપની સંચાલન ફરી શરૂ કરવાના સંબંધમાં યોગ્ય યોજના પ્રસ્તુત કરવામાં અસફળ પૂરવાર થશે તો તેનું લાઇસન્સ રદ થઇ શકે છે.
સંચાલન ફરી શરૂ કરવા માટે તર્કસંગત યોજના રજૂ કરવામાં કંપનીની અક્ષમતાનું કારણ દર્શાવીને ડીજીસીએએ શનિવારે વિમાન કંપનીનું લાઇસન્સ રદ કરી નાંખ્યું હતું. નોંધનીય છે કે કંપની ગયા વર્ષે દર અઠવાડિયે 2930 ઉડાનોનું સંચાલન કરતી હતી, પરંતુ દેવું વધવાના કારણે અને કર્મચારીઓએ કામ છોડવાના કારણે તેની સંખ્યા સતત ઘટતી ગઇ. સપ્ટેમ્બર માસમાં વિમાન કંપનીની બજાર ભાગિદારી 3.5 ટકા રહી હતી. કંપની પર અત્યારે સાત હજાર કરોડનું દેવું છે.
એક વર્ષ પહેલા કંપની પાસે 66 મોટા વિમાન હતા, જે ઘટીને માત્ર 10 રહી ગયા છે. કંપની યાત્રીઓની સંખ્યામાં દેશી બીજી સૌથી મોટી વિમાન કંપની હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
