મજૂરી કામ કરતા આ શખ્સે લૉટરીમાં જીત્યા 12 કરોડ રૂપિયા
મજૂરી કામ કરતા આ શખ્સે લૉટરીમાં જીત્યા 12 કરોડ રૂપિયા
કન્નરુઃ કેરળના કન્નુરમાં રોજમદાર તરીકે મજૂરી કરતા પેરુન્ન રાજને ન્યૂ ઈયર ક્રિસમસ બંપરમાં પહેલુ ઈનામ જીતી લીધું છે. તેમને ઈનામ તરીકે 12 કરોડ રૂપિયા મળ્યા છે. આટલી મોટી રકમ જીત્યા બાદ રાજન દંગ રહી ગયા અને તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ કરોડપતિ બની ગયા છે. જો કે ટેક્સ કપાયા બાદ તેમને 7.2 કરોડ રૂપિયા જ મળી શક્યા છે. 58 વર્ષના રાજન રોજમદાર તરીકે મજૂરી કરે છે અને મૂળ રૂપે પુરાલિમલા કાઈથાચલ કુરિચયા કૉલોનીમાં રહે છે.

લોટરી લાગી
આર્થિક પરેશાની હોવા છતાં પણ તેઓ સતત લૉટરી ખરીદતા રહેતા હતા અને તેમને આ વાતની ઉમ્મીદ હતી કે એકના એક દિવસે તેઓ લોટરી જરૂર જીતશે. લોટરી જીત્યા બાદ રાજને કહ્યું કે, 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી મોટી રકમ જીતીશ. કેમ કે કાલે જ પરિણામ ઘોષિત થયા, હું વિજેતા બનીશ તેવી મને ઉમ્મીદ નહોતી. બેંકમાં જમા કરતા પહેલા મારા પરિવારે કેટલીયવાર પરિણામ ચેક કર્યું.' અધિકારીઓએ રાજનને કહ્યું કે તેમણે પહેલા પોતાની ટિકિટ કન્નૂરની જિલ્લા બેંકમાં જમા કરાવવાની રહેશે.

12 કરોડ જીત્યા
રાજન પોતાની પત્ની રજની, દીકરા રીજિલ અને દીકરી અક્ષરા સાથે બેંક પહોંચ્યા અને ટિકિટ જમા કરાવી દીધી. જણાવી દઈએ કે રાજનની હજી એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે. રાજને કોથુપરાંભાથી પોતાની ટિકિટ ખરીદી હતી.

પૈસાનું શું કરશે જાણો
રોજમદાર તરીકે મજૂરી કામ કરતા રાજન કરોડપતિ બનતા કહ્યું કે, 'સૌથી પહેલા મારે થોડું દેણું ચૂકવવાનું છે. પછી મારી આસપાસ કેટલાક બીમાર અને સંઘર્ષ કરતા લોકો છે જેમને સમર્થનની જરૂરત છે અને તેમના માટે હું કંઈકને કંઈક જરૂર કરીશ. પરંતુ પૈસાને બરબાદ નહિ કરું.'
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
