For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારના દોષીઓને ફાંસી અપાવીશું: લાલૂ યાદવ

By Super
|
Google Oneindia Gujarati News

lalu-prasad-yadav
નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ દિલ્હીમાં સામુહિક બળાત્કારના વિરોધમાં આજે પણ જંતર-મંતર પર પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પહેલા આરજેડીના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું છે કે સામુહિક બળાત્કારના આરોપીઓને ફાંસી હોવી જોઇએ, તેમણે ઘણો મોટો અપરાધ કર્યો છે. ભાજપે કહ્યું છે કે પ્રધાનમંત્રીએ હવે આક્રોશ અને ખેદથી આગળ વધવું જોઇશે.

લાલૂએ કહ્યું કે બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થવી જોઇએ, અમે લોકો કાયદો બનાવીશું અને એવા લોકોને કડકમાં કડક સજા અપાવીશું. ભાજપના નેતા પ્રકાશ જાડવેકરે કહ્યું કે પીએમ એટલા દિવસ ચુપ રહ્યા અને હવે બોલ્યા છે. તે જનતાનો મૂડ સમજી રહ્યાં નથી. આ સરકાર દિશાહીન છે.

ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે દેશની જનતાને ખબર છે કે તેમને કોઇ નહીં મળે. પીએમએ સ્પષ્ટ રીતે કાગળ પર આશ્વાસન આપ્યું છે. આ પ્રકારના નિવેદનથી જનતાની ઇજાઓ પર મરહમ નહીં લાગે, પીએમને આક્રોશ અને ખેદથી આગળ વધવું પડશે.

English summary
Lalu Prasad Yadav on Monday said his party would advocate for capital punishment for rapists in the Delhi gangrape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X