માફી માંગી પણ તેમ છતાં મણિશંકરને કોંગ્રેસથી કરાયા સસ્પેન્ડ
પીએમ મોદીને નીચ બોલવા મામલે વિવાદ વધતા માફી માંગવા છતાં કોંગ્રેસ નેતા મણીશંકર ઐય્યરને પાર્ટીમાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ. વધુ વાંચો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહેવા મામલે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી નિલંબિત કરવામાં આવ્યા છે. સાથે જ પાર્ટીએ ઐય્યરને કારણ બતાવો નોટિસ પણ પાઠવી છે. જો કે તે પહેલા જ મણિશંકર ઐય્યરે પીએમ મોદીને નીચ શબ્દ બોલવા માટે માફી માંગી લેતા કહ્યું હતું કે નીચ શબ્દનો મારો તે મતલબ નથી. મારી ભાષા અંગ્રેજી છે અને "નીચ" નો અર્થ "લો" વ્યક્તિ તરીકે કરી હતી. જો તેનો કોઇ અન્ય કે ખોટા અર્થ નીકળે છે તો તે માટે હું માફી માંગુ છું. નોંધનીય છે કે આ પહેલા જ રાહુલ ગાંધીએ પણ મણિશંકર તરફથી અને કોંગ્રેસ વતી આ મામલે પીએમ મોદીની માફી માંગી લીધી હતી. આ મામલે તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સવારે ઐય્યરે કહ્યું હતું કે આંબેડકરની સૌથી મોટી ઇચ્છાને જે વ્યક્તિ સાકાર કરી છે અને યોગદાન આપ્યું છે તે વ્યક્તિનું નામ છે જવાહર લાલ નહેરુ. અને તેના પરિવાર વિષે આવી ગંદી વાત કહેવામાં આવે છે તે પણ ત્યારે જ્યારે આંબેડકર ભવનનું ઉદ્ધાટન થતું હોય મને તો લાગે છે કે આ માણસની નીચ કિસ્મનો છે. તે વાત આ રીતે ગંદી રાજનીતિ કરવાની કોઇ જરૂર નથી. જે બાદ સુરત ખાતેની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે આપત્તિ વ્યક્ત કરતા આ સમગ્ર પ્રકરણના લીધે નવો જ વિવાદ ઊભો થયો હતો. અને છેવટે ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાના કારણે અને દેશના પીએમ પર ટિપ્પણી કરવા મામલે મણિશંકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
