રાહુલને વડાપ્રધાન બનાવ્યા વિના દુનિયામાંથી જઇશ નહી: બેની પ્રસાદ
લખનઉ, 24 માર્ચ: મુલાયમ સિંહ યાદવ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર યુપીએ સરકારના સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ફરી એકવાર સપા સુપ્રિમો મુલાયમ સિંહ પર પ્રહાર કર્યો છે. બેની પ્રસાદ બાબુ જ્યારે મોંઢુ ખોલે છે. ત્યારે આ વખતે બેની પ્રસાદે સીધું મુલાયમ સિંહનું નામ લીધું નથી.
મુલાયમ સિંહ પર કમીશન ખોરીનું નિવેદન આપ્યા બાદ તેમને યુપીએ ચેરપર્સનના દબાણના મુલાયમ સિંહની માફી માંગવી પડી હતી, પરંતુ બેની પ્રસાદ બાબુની પુંછડી વાંકીની વાંકી છે. પોતાના માટે ઉત્તર પ્રદેશમાં ઉઠેલા વિરોધોને લઇને બેની પ્રસાદે કહ્યું હતું કે તેમના પુતળા સળગાવવાથી તેમની ઉંમર વધે છે. મુલાયમ સિંહનું નામ લીધા વિના બેની પ્રસાદે કહ્યું હતું કે તે કોઇપણ પ્રકારે નમવાના નથી.

તો બીજી તરફ યુપીમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાંધતાં કહ્યું હતું કે એક પરિવારના લઇને ચાલનારાઓ અને તેને મહત્વ આપનારા લોકો સમાજવાદી હોય ના શકે. બેની પ્રસાદે આ દરમિયાન ફરી એકવાર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસના યુવરાજની પ્રશંસા કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે રાહુલના હાથમાં દેશની કમાન સોપ્યા વિના આ દુનિયા છોડીશ નહી, તે રાહુલને વડાપ્રધાન બનાવીને જ રહેશે. તો બીજી તરફ પોતાની ભવિષ્યવાણે કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે તે હજુ વીસ વર્ષ સુધી રાજકારણમાં રહેશે. બેની પ્રસાદે રાજધાનીમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હજુ હું 20 વર્ષ જીવતો રહેવાનો છું. રાહુલ ગાંધીને દેશની કમાન સોંપ્યા વિના જઇશ નહી, પંડિત જવાહર લાલ નહેરૂની પ્રશંસા કરતાં બેની પ્રસાદે કહ્યું હતું કે જવાહર લાલ નહેરૂએ સમાજના ભલા માટે કામ કર્યું હતું. તે મોટા સમાજવાદી નેતા હતા. આજકાલ સમાજવાદી ફક્ત નામ છે.
મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રતિ નરમ વલણ દાખવતાં બેની પ્રસાદે કહ્યું હતું કે અખિલેશ યાદવને સ્વતંત્ર છોડી મુકવામાં આવે તો તે સારું કામ કરશે. તે ઘણું ભણેલો છે. સત્તામાં બેઠેલા લોકો કામ કરવા દેતા નથી. બેની પ્રસાદે કહ્યું હતું કે પ્રદેશમાં સપાની સરકાર બન્યા બાદ ગુના અને ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. બેની પ્રસાદે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે આ લોકો ભત્રીજાને (અખિલેશ યાદવ) કામ કરવા દેતા નથી. તેને છુડો મુકી દેશે તો તે સારું કામ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેની પ્રસાદ વર્માએ મુલાયમ સિંહ પર સરકારને સમર્થન આપવાના અવેજીમાં કમીશન ખાવાની વાત કરી હતી. ત્યારબાદ મુલાયમ સિંહે તેમના રાજીનામાની માંગણી કરી રહ્યાં હતા. પછી બેની પ્રસાદ બાબુએ માફી માગી અને સોનિયા ગાંધીના સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
