નિપાહ વાયરસથી બચાવશે આ બે સરળ ઉપાયો
કેરળમાં નિપાહ વાયરસનો કહેર ચાલુ છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આના સંક્રમણથી બચી શકાય છે.
કેરળમાં નિપાહ વાયરસનો કહેર ચાલુ છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સંક્રમિત ચામાચિડીયા કે અન્ય સંક્રમિત જીવોથી ફેલાતા આ વાયરસનો તોડ હજુ સુધી ડૉક્ટર્સ પણ શોધી શક્યા નથી પરંતુ જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આના સંક્રમણથી બચી શકાય છે. જાણો કેવી રીતે તમે બચી શકો છો-

સંક્રમિત સુવર, ચામાચીડિયાથી થાય છે નિપાહ
નિપાહ વાયરસ મનુષ્યોમાં સંક્રમિત સુવર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બૈટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્ફલેટિક સિંડ્રોમ રૂપે ભયંકર તાવ, માથામાં દુખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણ જોવા મળે છે.

થોડી થોડી વારે ધોતા રહો હાથ
મલેશિયામાં સૌથી પહેલા આના લક્ષણો જોવા મળ્યા હતા. એક વ્યક્તિને આ વાયરસે ઝપટમાં લીધો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યુ હતુ. તે જ ગામના નામ પરથી આને નિપાહ નામ આપવામાં આવ્યુ છે. આ વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્થાનિક પશુ સ્વાસ્થ્ય સંહિતામાં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. વર્ષ 2007 માં પશ્ચિમ બંગાળમાં પણ આના દર્દીઓ જોવા મળ્યા હતા.

જમતા પહેલા પહેલા ધુઓ વસ્તુઓ
નિપાહ વાયરસ આનાથી પીડિત દર્દીના સંપર્કમાં આવવાથી તરત ફેલાય છે. એટલા માટે બની શકે તેટલુ તેમનાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ. નિપાહ વાયરસથી તમે સરળતાથી દૂર રહી શકો છો. આના માટે જરૂરી છે હાઈજીનનું ધ્યાન રાખવું. પોતાની આસપાસ સાફ-સફાઈ રાખો અને થોડા થોડા સમયે હાથ ધોતા રહો. હાથ ધોયા વિના ખાવાની કોઈ પણ વસ્તુઓને અડશો નહિ.

રાંધીને ખાવ, ફળોને પણ ધોઈને ખાવ
રાંધતી વખતે શાકભાજીને ખૂબ જ સરસ રીતે સાફ કરી લો અને તેને સરસ રીતે ચડવા દો. કાચુ ભોજન ક્યારેય ન ખાવ. જો સંક્રમિત વિસ્તારમાં જઈ રહ્યા છો તો માસ્કનો ઉપયોગ કરો. ખાંસતી વખતે પોતાનું મોં ઢાંકી લો અને પછી ફરીથી પોતાના હાથ વ્યવસ્થિત ધોઈ લો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
