ખાદ્ય સુરક્ષા બિલ પર આજે વટહુકમ લાવશે સરકાર!

જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપાએ સોમવારે સરકારને ચીમકી આપી હતી કે તે વટહુકમ દ્વારા ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ કરવાની કોશીશ ના કરે અને સંસદમાં ચર્ચા દ્વારા તેને પસાર કરાવે. ભલે તેના માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, અથવા તો ભલે મોનસૂન સત્રને સમય પહેલા બોલાવવામાં આવે.
જ્યારે યુપીએ સરકારને સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટીએ ખાદ્ય સુરક્ષા બિલને ખેડૂત વિરોધી બતાવ્યું છે. સપાએ ખાદ્ય સુરક્ષા બિલ મુદ્દા પર વામદળોની સાથે થઇ ગઇ. સપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે વિધેયક પાસ થવા પર ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર નહીં મળે. તેમણે જણાવ્યું કે સરકાર વિધેયકને લાવીને મધ્યાવધિ ચૂંટણી તરફ જોઇ રહી છે.
નરેશ અગ્રવાલે કહ્યું કે સપા એટલા માટે બિલનો વિરોધ કરી રહી છે કારણ કે તે ખેડૂત વિરોધી છે, સાથે તેમણે કહ્યું કે બિલના વિરોધનું કારણ છે કે તેમાં સંશોધનની ગંભીરતા પર વિચાર કરવો જોઇએ. જ્યારે માકપા નેતા વૃંદા કરાતે કહ્યું કે બિલ પર ચર્ચા થવી જોઇએ અને પાર્ટીએ જે સંશોધન વિચાર કરાવ્યા છે તેના પર પણ ચર્ચા થવી જોઇએ.
ભાકપાના ડી રાજાએ કહ્યું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ ખાદ્ય સુરક્ષા બિલ વર્તમાન સ્વરૂપમાં ઘણી ખામિયોથી યુક્ત છે જેના કારણે આ બિલ અમને અસ્વીકાર્ય છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર એવા સમયે જ્યારે સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ખાદ્ય સુરક્ષા બિલ પાસ કરાવવાની ઉતાવળ કરી રહી છે.












Click it and Unblock the Notifications
