For Quick Alerts
For Daily Alerts
ભારતીય સેનામાં હવે અનાથ યુવાનો પણ થશે સામેલ
સેના પ્રમુખ જનરલ વ્રિક્રમ સિંહએ અનાથ યુવકોની ભરતી માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તેમને રક્ષાદળમાં સામેલ થવામાં મદદ મળશે, સેના અધિકારીઓએ જાણકારી આપી છે.
આ પૂર્વે, આવા યુવકોને પોતાના જન્મની સાચી તારીખ, માતા-પિતાનું નામ અને પોતાની જાતિ સંબંધી જાણકારી આપવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે હવેથી આવા યુવકોની જન્મતિથિના પ્રમાણના રૂપમાં મેટ્રિકનું પ્રમાણપત્ર આપવું પડશે, અન્ય નિયમોમાં પણ છૂટ આપવામાં આવી છે.
નવી નીતિઓ હેઠળ, માતા-પિતા અંગેની માહિતી નહીં હોવા પર ભરતી કેન્દ્રો દ્વારા અનાથાલયનું નામ સ્વીકૃત કરવામા આવશે.
જ્યાં સુધી જાતિ સંબંધ છે, અનાથોને અખિલ ભારતીય અખિલ જાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેનામાં જાતિ એક મહત્વપૂર્ણ કારક છે, જેની જાતિ આધારિત ઇન્ફેટ્રી રેજીમેન્ટ છે.
Comments
English summary
Seeking to provide opportunities to orphan youth to join its ranks, the Indian Army has relaxed its recruitment rules to allow them to join the force.
Story first published: Saturday, May 25, 2013, 17:47 [IST]