કુલભૂષણ જાધવને ફાંસી આપી તો પરિણામ ગંભીર આવશે
કુલભૂષણ જાધવની ફાંસીને લઇને પાકિસ્તાનમાં પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન મીડિયાનું કહેવું છે કે કુલભૂષણને ફાંસી આપવામાં આવી તો પરિણામ ગંભીર આવશે.
કુલભૂષણ જાધવને ફાંસી આપવાના પાકિસ્તાન સેનાના નિર્ણય પર પાકિસ્તાની મીડિયાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે જો કુલભૂષણને ફાંસી આપવામાં આવી તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. નોંધનીય છે કે જાસૂસીના આરોપમાં ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર પાક. મીડિયા કહ્યું કે પાકિસ્તાને આ અંગે ફરી એક વાર વિચાર કરવો જોઇએ. તો બીજી તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને સીધી રીતે ચેતવણી આપી છે. સ્વરાજે કહ્યું કે જાધવ સામે જાસૂસી કરવાના કોઇ પુરાવા નથી. વધુ તેમણે કહ્યું કે પાકિસ્તાન આ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવી રહ્યો છે.

તો બીજી તરફ રાજનાથ સિંહે પણ સરકાર આ મામલે સંભવિત પગલાં લેશે તેવું આશ્વાસન આપ્યું છે. અને ઇસ્લામાબાદની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડતા જોઇને પાકિસ્તાનના વડાપ્રધાને પણ નિવેદન આપી જણાવ્યું છે કે પાકિસ્તાન એક શાંતિ પ્રિય દેશ છે. અને આ વાતને કોઇને તેની નબળાઇ ન સમજવું. વિવાદની જગ્યાએ સહયોગ અને સમજદારી જ અમારી નીતિ છે. જો કે ભારતમાં પણ કૂલભૂષણ જાધવને લઇને વિરોધ પક્ષ સત્તા પક્ષ પર આરોપો લગાવી રહ્યો છે. અને લોકો પણ આ સજાની વિરુદ્ધ છે. ત્યારે આવનારા સમયમાં આ અંગે શું પગલાં લેવાય છે તે હવે જોવું રહ્યું.
-
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
