સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો : FIR નોંધવી પોલીસ માટે અનિવાર્ય
નવી દિલ્હી, 12 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્દેશ કરતા જણાવ્યું કે પોલીસે અનિવાર્યપણે પોલીસ સ્ટેશનમાં આવનાર તમામ સંજ્ઞાન લેનાર ગૂનાની પ્રાથમિકી (એફઆઇઆર) નોંધવી પડશે. એફઆઇઆર નહીં નોંધનાર પોલીસ અધિકારી સામે સખત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી. સતશિવમની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે જણાવ્યું છે કે કોઇ પોલીસ અધિકારી કોઇપણ સંગીન અપરાધની પ્રથમ સૂચના રિપોર્ટ(FIR) નોંધવામાં અસફળ રહેશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશે પીઠની તરફથી જણાવ્યું કે કાનૂનનો ઉદ્દેશ્ય ગૂનાઓની પ્રાથમિકી નોંધવાની કાર્યવાહીને અનિવાર્ય બનાવવાની છે. સંગીન અપરાધોની શ્રેણીમાં એવા અપરાધ આવે છે, જેના માટે અપરાધીને ત્રણ વર્ષની અથવા તેનાથી વધારે સજા થઇ શકે છે, અને તપાસકર્તા અધિકારી આરોપીની વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે.