CAA વિરોધઃ છાત્રો માટે પ્રિયંકા ચોપડાએ કહ્યુ, દરેક અવાજ ભારતમાં બદલાવ માટે કામ કરશે
હાલમાં જ CAA મુદ્દે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કર્યુ અને પોતાનુ મંતવ્ય જણાવ્યુ.
નાગરિકતા સુધારા એક્ટ સામે શરૂ થયેલ વિરોધ પ્રદર્શન પૂર્વોત્તર રાજ્યો બાદ હવે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચી ગયુ છે. ગુરુવારે સુધારાયેલ નાગરિકતા એક્ટ અને એનઆરસીના વિરોધમાં ડાબેરી પક્ષોએ ભારતનુ બંધનુ આહ્વાન આપ્યુ છે. વળી, બિહારમાં ડાબેરી પક્ષોના આ બંધને આરએસએસપી,વીઆઈપી, એચએએમ અને પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટીનુ પણ સમર્થન છે. ગુરુવારે સવારથી જ બંધની અસર દેખાવા લાગી છે. વળી, બંધના કારણે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બિહારની રાજધાની પટનામાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી કરી દેવામાં આવી છે.

આખા દેશમાં ચાલુ છે ઉગ્ર પ્રદર્શન
વળી, આ ગંભીર મુદ્દે દરેક સામાન્યથી ખાસ લોકો પોતાનુ મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વિરોધના કારણે જામિયા વિવિમાં હિંસા થઈ હતી. પોલિસના વ્યવહાર માટે દેશના જાણીતા વિશ્વવિદ્યાલયોના છાત્રોએ પણ જામિયા અને એએમયુના છાત્રોનુ સમર્થન કર્યુ છે.
— PRIYANKA (@priyankachopra) 18 December 2019 |
‘દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે'
હાલમાં જ આ મુદ્દે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ ટ્વિટ કર્યુ જેમાં તેમણે કહ્યુ કે દરેક અવાજ સાંભળવામાં આવે છે અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે. પીસીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે દરેક બાળક માટે શિક્ષણ આપણુ સપનુ છે, શિક્ષણ જ સ્વતંત્ર રીતે વિચાર કરવા માટે કાબિલ બનાવે છે. આપણે તેમને અવાજ ઉઠાવવા માટે મોટા કર્યા છે. એક સ્વતંત્ર લોકતંત્રમાં, શાંતિથી અવાજ ઉઠાવવો અને તેનુ હિંસામાં ભળવુ અયોગ્ય છે. દરેક અવાજની ગણતરી થાય છે અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે.

વાયરલ થયુ પ્રિયંકાનુ ટ્વિટ
પ્રિયંકાનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. અમુક લોકોએ પ્રિયંકા ચોપડાની વાતનુ સમર્થન કર્યુ છે, તો અમુક લોકોએ પીસીની વાતથી અસંમતિ દર્શાવી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
