પુલવામાં: કંઈક મોટું કરવાની તૈયારીમાં ભારત, પાકિસ્તાનમાં ખલબલી
પુલવામાં હુમલા પછી ભારતે ઘાટીમાં તેની ગતિવિધિ વધારી દીધી છે. તેને કારણે પાકિસ્તાનને પરસેવો છૂટી રહ્યો છે.
પુલવામાં હુમલા પછી ભારતે ઘાટીમાં તેની ગતિવિધિ વધારી દીધી છે. તેને કારણે પાકિસ્તાનને પરસેવો છૂટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં સરકાર તરફથી કેટલાક મોટા પગલાં લેવામાં આવ્યા છે. બધા અલગતાવાદી નેતાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવી છે. યાસિન મલિક સહીત જમાત-એ-ઇસ્લામિ સહિત બે ડઝન નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, 100 વધારાની અર્ધલશ્કરી કંપનીઓને ઘાટીમાં મોકલવામાં આવી છે. પાકિસ્તાન વિદેશ સેવા તરફ ભારત દ્વારા આ પગલું પછી ખાસ સેલ કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ પરિસ્થિતિ મોનીટર કરશે તેની સ્થાપના કરી છે.
આ પણ વાંચો: પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

ભારત મોટી કાર્યવાહી કરવાના મૂડમાં
એવું માનવામાં આવે છે કે ભારત પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ નાજુક અને ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે. નરેન્દ્ર મોદી પુલવામાં હુમલા પછી સ્પષ્ટ અભિગમ જાહેર કર્યો છે કે જવાનોના લોહીનો બદલો લેવામાં આવશે તેમની શહાદત વ્યર્થ નહીં જાય.

10000 વધારા જવાનો રવાના
કેન્દ્ર સરકાર ઘ્વારા 10,000 વધારાના CAPF સૈનિકો ઘાટીમાં મોકલ્યા છે. આ ટુકડીઓ કટોકટીઓ તૈનાત કરવામાં આવશે, જેથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. હકીકતમાં, તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના નદીઓનો પ્રવાહ બંધ કરશે. માનવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીના નિવેદન પછી પાકિસ્તાન ઘ્વારા ભારતીય પોસ્ટ પર ગોળીબારી કરવામાં આવી રહી છે. જયારે ભારત આ ગોળીબારીનો જડબાતોડ જવાબ પણ આપી રહ્યું છે.

અલગ અલગ ટુકડીઓ મોકલવામાં આવી
હાલમાં ઘાટીમાં 65000 સીએપીએફ જવાનો હાજર છે, જેમાં સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આઇટીબીપી જવાનો પણ હાજર છે. તેની સાથે જમ્મુ કાશ્મીરની પોલીસ પણ ઘાટીમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતના તેવર જોતા પાકિસ્તાને સીમા પર આવેલા ગામો ખાલી કરાવવાનું ચાલુ કરી દીધું છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
