રાજ ઠાકરેની ચેતવણી પછી ટી-સિરીઝે પાકિસ્તાની સિંગરના ગીતો હટાવ્યા

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે. આખા દેશમાં આ ઘટના અંગે ગુસ્સો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને પાકિસ્તાની સિંગરો સાથે કામ નહીં કરવાનું જણાવ્યું. તેની સાથે તેમને ટી-સીરીઝને પણ ચેતવણી આપી કે તેઓ યુટ્યુબથી પાકિસ્તાની સિંગરોના ગીતો હટાવે.

Raj Thackeray

એમએનએસ ચિત્રપટ સેના પ્રમુખ અમેય ખોપકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ભારતીય કંપનીઓ જેવી કે ટી-સિરીઝ, સોની મ્યુઝિક, વિનસ, ટિપ્સ મ્યુઝિક ને પાકિસ્તાની ગાયકો સાથે કામ નહીં કરવા માટે મૌખિક રૂપે જણાવી દીધું છે. આ કંપનીઓએ તેમને તરત બેન કરી દેવા જોઈએ, નહીં તો અમે અમારા અંદાઝમાં કાર્યવાહી કરીશુ. હાલમાં જ ટી-સિરીઝના ભૂષણ કુમારે પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન અને અતીફ અસલમ સાથે બીજા બે સિંગરના ગીતો પર પ્રતિબંધ મુક્યો છે.

આ પણ વાંચો: રાજોરીમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા

ખોપકર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની ચેતવણી પછી તેમને યુટ્યુબથી તેમના ગીતો હટાવી દીધા છે. આ પહેલા વર્ષ 2016 દરમિયાન ઉરી હુમલા પછી રાજ ઠાકરેની નેતૃત્વ ધરાવતી પાર્ટી એ ભારતમાં કામ કરનાર બધા જ પાકિસ્તાની કલાકારોને દેશ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો.

આ પણ વાંચો: સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X