પેપરલેસ હશે પંજાબ સરકારનુ બજેટઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનુ એલાન
પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે.
પંજાબઃ પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે. હવે આજે બુધવારે પંજાબની માન સરકાર દ્વારા ઈ-ગવર્નન્સ તરફ પગલાં માંડીને બજેટને લઈને એક નવો નિર્ણય લીધો છે. પંજાબની માન સરકાર આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જ આ અંગેની જાહેરાત કરી છે અને તેમના નિર્ણયને ઈ-ગવર્નન્સ તરફનુ પગલુ ગણાવ્યુ છે. સરકારના આ નિર્ણયથી 814 વૃક્ષો તો બચશે જ સાથે 34 ટન કાગળ પણ બચશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ- પંજાબીઓના નામે એક સારા સમાચાર. અમારી સરકારે નિર્ણય લીધો છે કે આ વખતે પંજાબ સરકારનુ બજેટ પેપરલેસ હશે. તેનાથી તિજોરીના લગભગ 21 લાખ રૂપિયા બચશે. 34 ટન કાગળ બચશે. એટલે કે લગભગ 814-834 વૃક્ષો બચશે.ઈ-ગવર્નન્સ તરફ વધુ એક પગલુ.
તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની કેજરીવાલ સરકારે પેપરલેસ બજેટની જાહેરાત કરી હતી અને દિલ્હી વિધાનસભામાં બીજા બજેટ સત્રની કાર્યવાહી કાગળ વગર જ ચાલી હતી. તમામ દસ્તાવેજો માત્ર ફોર્મમાં ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે ગૃહની કાર્યવાહી ડિજિટલ રીતે ચલાવવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક ધારાસભ્યને ઈ-પેડ આપવામાં આવ્યા છે.
एक खुशखबरी पंजाबियों के नाम...
— Bhagwant Mann (@BhagwantMann) May 25, 2022
हमारी सरकार ने फैसला किया है कि इस बार पंजाब सरकार का बजट कागज़ रहित (paperless) होगा...इससे खज़ाने के लगभग 21 लाख रुपए बचेंगे...34 टन कागज़ बचेगा...मतलब 814-834 के करीब पेड़ बचेंगे...Another step towards E-Governance