For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેપરલેસ હશે પંજાબ સરકારનુ બજેટઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનુ એલાન

પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબઃ પંજાબની ભગવંત માન સરકાર દિલ્લીના કેજરીવાલ સરકારની જેમ નવા-નવા નિર્ણયોથી પોતાના રાજ્યના લોકોને ખુશખબર આપી રહી છે. હવે આજે બુધવારે પંજાબની માન સરકાર દ્વારા ઈ-ગવર્નન્સ તરફ પગલાં માંડીને બજેટને લઈને એક નવો નિર્ણય લીધો છે. પંજાબની માન સરકાર આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જ આ અંગેની જાહેરાત કરી છે અને તેમના નિર્ણયને ઈ-ગવર્નન્સ તરફનુ પગલુ ગણાવ્યુ છે. સરકારના આ નિર્ણયથી 814 વૃક્ષો તો બચશે જ સાથે 34 ટન કાગળ પણ બચશે.

mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ- પંજાબીઓના નામે એક સારા સમાચાર. અમારી સરકારે નિર્ણય લીધો છે કે આ વખતે પંજાબ સરકારનુ બજેટ પેપરલેસ હશે. તેનાથી તિજોરીના લગભગ 21 લાખ રૂપિયા બચશે. 34 ટન કાગળ બચશે. એટલે કે લગભગ 814-834 વૃક્ષો બચશે.ઈ-ગવર્નન્સ તરફ વધુ એક પગલુ.

તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની કેજરીવાલ સરકારે પેપરલેસ બજેટની જાહેરાત કરી હતી અને દિલ્હી વિધાનસભામાં બીજા બજેટ સત્રની કાર્યવાહી કાગળ વગર જ ચાલી હતી. તમામ દસ્તાવેજો માત્ર ફોર્મમાં ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે ગૃહની કાર્યવાહી ડિજિટલ રીતે ચલાવવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક ધારાસભ્યને ઈ-પેડ આપવામાં આવ્યા છે.

English summary
Punjab CM Bhagwant Mann said, Punjab government budjet will be paperless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X