રાફેલ મામલે અનિલ અંબાણીની મુસીબત વધી શકે છે
રાફેલ મામલે સુનાવણી કરતા આજે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની શરૂઆતી દલીલોને રદ કરી છે. કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો
રાફેલ મામલે સુનાવણી કરતા આજે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની શરૂઆતી દલીલોને રદ કરી છે. કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પર સુપ્રીમકોર્ટે આજે પોતાની નિર્ણય આપ્યો છે. તેમને કેન્દ્ર સરકારની અરજીને રદ કરી છે. જે રીતે અરજીકર્તાએ રાફેલ ડીલ અંગે દસ્તાવેજો દાખલ કર્યા હતા, તેના પર સુનાવણી કરવાની માંગનો કેન્દ્રં સરકાર વિરોધ કરી રહી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાએ અનિલ અંબાણીની કંપનીને ડેસોલ્ટ ઓફસેટ પાર્ટનર બનાવવા અંગે પણ સવાલ ઉભા કર્યા હતા. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ મામલે સુનાવણી માટે તારીખ નક્કી કરશે, જેમાં અનિલ અંબાણીની કંપની પણ શામિલ છે. આપને જણાવી દઈએ કે અરજીકર્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ મામલે તપાસની માંગ કરી હતી. આ પહેલા કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ડીલ અંગે નિર્ણય લેવા મામલે કોઈ પણ સંદેહ નથી દેખાતો.
આ પણ વાંચો: રાફેલ મામલે સરકારને ઝાટકો, બીજીવાર સુનાવણી માટે SC તૈયાર
આપને જણાવી દઈએ કે ફ્રાન્સની કંપની ડેસોલ્ટ ઘ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કરવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણય પછી અનિલ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે, જેમાં કોર્ટે બધી જ અરજીઓને કેન્સલ કરી હતી. આ બધા જ આરોપો રાજનીતિથી પ્રેરિત હતા, જેમાં મારી કંપની અને મારા પર જાણીજોઈને આરોપો લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ આરોપ લગાવતી આવી છે કે સરકારે ડેસોલ્ટ પર દબાણ કર્યું કે તેઓ અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવે.
આ પણ વાંચો: રાફેલ ડીલઃ ડોક્યુમેન્ટ ચોરી થયાનો દાવો કરીને શું ફસાઈ ગઈ મોદી સરકાર?