AICCમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વની રાહુલની ખાતરી

પક્ષના પ્રવક્તા ભક્ત ચરણ દાસે બેઠક બાદ પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધીએ એઆઈસીસીમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ કેવી રીતે આપવું જોઈએ એ વિશે વાતચીત કરી હતી. તેમણે આને અનામત તરીકે ગણાવ્યું નથી. રાહુલે કહ્યું કે એઆઈસીસીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં નથી. આગામી બે ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે મહિલાઓનું પ્રતિનિધિત્વ 50 ટકા જેટલું કરવામાં આવશે.
એઆઈસીસીના 12 મહા સચિવોમાં હાલ અંબિકા સોની જ મહિલા છે. જ્યારે 44 સચિવોમાં માત્ર પાંચ મહિલા છે. રાહુલ ગાંધીએ હોદ્દેદારોને ચાતવણી આપી દીધી છે કે જે પોતાની જવાબદારી નહીં નિભાવે તે મહા સચિવો અને સચિવો સામે પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
