કુંભના મેળામાં પ્રવાસી ભારતીયો માટે રેલવેની ખાસ વ્યવસ્થા
આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે પ્રશાસને પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. ભારતીય રેલવેએ પણ મુસાફરોને સુવિધા આપવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધુ છે.
આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે પ્રશાસને પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. એટલુ જ નહિ ભારતીય રેલવેએ પણ મુસાફરોને સુવિધા આપવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધુ છે. કુંભ મેળામાં આવનારા પ્રવાસી ભારતીયો માટે રેલવે એક વિશેષ ટ્રેન ચલાવવા જઈ રહ્યુ છે કે જે મુસાફરોને દિલ્લીથી અલાહાબાદ લઈને આવશે અને તેમને પાછા પણ લઈ જશે. આ ટ્રેનમાં બધા કોચ એસી ટુ ટાયરના હશે. વાસ્તવમાં આ વખતે કેન્દ્ર સરકારે ખાસ કરીને પ્રવાસી ભારતીયોને કુંભ મેળાના દર્શન માટે આમંત્રિત કર્યા છે.
આ પણ વાંચોઃ જાપાનના પીએમ શિંઝો આબેના હોલીડે હોમ જનારા પહેલા વિદેશી નેતા પીએમ મોદી
માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં લગભગ પાંચ હજાર પ્રવાસી ભારતીયો અહીં દર્શન કરવા માટે આવશે જેને જોતા ઉત્તર મધ્ય રેલવેએ અહીં ખાસ તૈયારી કરી છે. અનુમાન છે કે આ વખતે કુંભમાં 15 કરોડ શ્રદ્ધાળુ દર્શન માટે આવશે. આ દરમિયાન થનારા મુખ્ય સ્નાન દરમિયાન 15 જાન્યુઆરીથી ચાર માર્ચ સુધી લગભગ 15 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જેમાં લગભગ 40 લાખ લોકો ટ્રેનથી મુસાફરી કરશે. મુસાફરોને ટ્રેનની અંદર પ્રવાસ બહેતર બનાવવા માટે રેલવે પોતાની પૂરી કોશિશ કરી રહ્યુ છે.
આ પણ વાંચોઃ ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારત
ટ્રેનોની અંદર અલગ પ્રકારના વિનાઈલ લગાવવામાં આવશે જેમાં લોકોને અહીંની સંસ્કૃતિ વિશે બતાવવામાં આવશે. ટ્રેનની અંદર મુસાફરોને અહીંની સંસ્કૃતિ અને કુંભ મેળાની ઝલક જોવા મળશે. આ દરમિયાન રેલવેએ મોટી સંખ્યામાં મેમૂ ટ્રેનો પણ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર મુખ્ય સ્નાન અને પર્વ પર 800 ટ્રેનો ચાલશે. જેનાથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. આ બધા વચ્ચે હજુ પણ રેલવે સામે સૌથી મોટો પડકાર સ્ટેશન પર અને ટ્રેનની અંદર સફાઈની છે.