દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરવિંદર સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન
અરવિંદર સિંહ દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સોમવારે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. અરવિંદર સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના લોદી સ્મશાનગૃહમાં બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.
નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહના પુત્ર અરવિંદર સિંહનું સોમવારના રોજ નિધન થયું છે. અરવિંદર સિંહ દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સોમવારે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. અરવિંદર સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના લોદી સ્મશાનગૃહમાં બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ ટ્વિટ કરીને અરવિંદર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, અરવિંદર સિંહના અકાળે નિધનથી હું આઘાતમાં છું. તેમણે તેમની એસેમ્બલીમાં ઘણું કામ કર્યું, તેને ભૂલી શકાય તેમ નથી.
દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અભિષેક દત્તે કહ્યું કે, અરવિંદર સિંહ શાળામાં મારા સિનિયર હતા, તેઓ ખૂબ જ સરળ અને સારા દિલના વ્યક્તિ હતા. તેણે દિલ્હી ક્રિકેટનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
ઉલ્લેનીય છે કે અરવિંદર સિંહે 2008માં કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની દેવલી વિધાનસભા સીટથી ચૂંટણી જીતી હતી.
કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહ્યું કે, અરવિંદર સિંહ પણ થોડા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા.












Click it and Unblock the Notifications
