વિપક્ષી નેતાઓ સાથે આજે બઠક કરશે શરદ પવાર
વિપક્ષી નેતાઓ સાથે આજે બઠક કરશે શરદ પવાર
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના મુખ્યા શરદ પવાર આજે દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરશે. એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે શરદ પવાર વિપક્ષી નેતાઓને એકજુટ કરવાનું કામ કરશે. દિગ્ગજ નેતા અને સમાજના અલગ અલગ વર્ગના લોકો દિલ્હી સ્થિત શરદ પવારના આવાસે મંગળવારે 22 જૂને દેસના હાલાત પર ચર્ચા કરશે.

જ્યારે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છે કે વિપક્ષી નેતાઓને ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ એક્જુટ કરવાનું શરદ પવાર સપનુ જોઈ રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી નિયંત્રણ જઈ રહ્યું છે ત્યારે એનસીપી, કોંગ્રેસ, શિવસેના એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે, એવામાં કદાચ શરદ પવાર જી મુંગેરી લાલનું સપનું જોઈ રહ્યા છે. તેઓ વિપક્ષના નેતાઓને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે, એ પણ એવા સમયે જ્યારે શિવસેના તેમને ચપ્પલ દેખાડી રહી છે, પ્રદેશમાં કોરોના કાળમાં જબરદસ્ત કુપ્રબંધ ચાલી રહ્યો છે. સોમૈયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ નેતૃત્વ કોઈ ન આપી શકે, જો આખું વિશ્વ એકજુટ પણ થઈ જશે તો પણ પીએમ મોદીનો મુકાબલો ન કરી શકે.
જણાવી દઈએ કે શોમવારે પ્રશાંત કિશોરે પણ શરદ પવારની મુલાકાત લીધી હતી, તેમણે વિપક્ષને એકજુટ કરવાની વકાલત કરી હતી, પાછલા 10 દિવસમાં તેઓ શરદ પવારને બે વખત મળી ચૂક્યા છે, પરંતુ આજે થનાર બેઠકમાં તેઓ ભાગ નહી લે. પ્રશાંત કિશોરે કહ્યું કે મને નથી લાગતું કે ત્રીજો કે ચોથો મોર્ચો નરેન્દ્ર મોદીને હરાવી શકે છે, આ હિસાબે હું આવા કોઈપણ પ્રકારના ગઠબંધનનો શા માટે ભાગ બનું. 15 લોકો બેઠક કરી રહ્યા છે માટે તમે તેને સર્વદળીય બેઠક ન ગણાવી શકો.
એનસીપી મુજબ આજે થનાર બેઠકમાં યશવંત સિન્હા, પવન વર્મા, સંજય સિંહ, ડી રાજા, ફારુક અબ્દુલ્લા, કેટીએસ તુલસી, મજીદ મેમણ, વંદના ચૌહાણ, ઘનશ્યામ તિવારી, કરન થાપર, જાવેદ અખ્તર, આશુતોષ, એસવાઈ કુરૈશી, અરુણ કુમાર, કેસી સિંહ, સંજય ઝા, સુધીંદ્ર કુલકર્ણી, કોલિન ગોન્સાલ્વિસ, પ્રિતિશ નંદ ભાગ લેશે. આ બેઠક રાષ્ટ્રીય મંચના બેનર હેઠળ મળશે, જેની રચના 2018માં કરાઈ હતી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
