Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના

ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિવસેનાએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના મોત બાદ ભાજપની સરકાર બનાવવા માટે કરવામાં આવેલી કોશિશોને શરમજનક ગણાવી છે.

ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિવસેનાએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના મોત બાદ ભાજપની સરકાર બનાવવા માટે કરવામાં આવેલી કોશિશોને શરમજનક ગણાવી છે. શિવસેનાએ આને લોકતંત્રની દૂર્દશા ગણાવીને કહ્યુ છે કે ભાજપે દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકરના પાર્થિવ દેહની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈ અને સત્તાનો ખેલ શરૂ કરી દીધો.

uddhav thackrey

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં બુધવારે લખ્યુ કે ભાજપે કમસે કમ પરિકરની ચિતા ઠંડી થવાની તો રાહ જોવી જોઈતી હતી. શપથ ગ્રહણ સમારંભ માટે કમસે કમ મંગળવાર સવાર સુધીની રાહ જોઈ લીધી હોત. ચિતા સળગી રહી હતી અને 'સત્તાના લાલચી' એકબીજાની ગરદન પકડી રહ્યા હતા. કમસે કમ ચાર કલાક રાહ જોવામાં કોઈ સમસ્યા નહોતી હોવી જોઈતી.

તમને જણાવી દઈએ કે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પહેલા ભાજપ અને તેમના સહયોગી દળો વચ્ચે ઘણી બેઠકો થઈ. સમર્થન આપનાર બે નાના સહયોગી પક્ષોમાંથી એક-એક ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ બંનેએ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે શપથ ગ્રહણ કર્યા. ઉપ મુખ્યમંત્રી બનાવાયેલ ધારાસભ્ય જીએફપી પ્રમુખ વિજય સરદેસાઈ તથા એમજીપી ધારાસભ્ય સુદિન ધાવલિકર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X