તેલંગાણા મુદ્દો : આજે ચાર કેબિનેટ પ્રધાનો રાજીનામા આપી શકે
નવી દિલ્હી/હૈદરાબાદ, 2 ઓગસ્ટ : અલગ તેલંગાણા રાજ્યની રચના અંગે કોંગ્રેસ દ્વારા સહમતિ અપાયા બાદ પણ આ વિવાદ અટકાવાનું નામ લઇ રહ્યો નથી. અલગ તેલગાણાનો વિવાદ દિવસે દિવસે વધારે ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. સૂત્રો જણાવે છે કે ચાર કેબિનેટ પ્રધાનો આ મુદ્દે આજે શુક્રવારે રાજીનામા આપી શકે છે.
આ અંગે એક ન્યુઝ ચેનલ દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે કેબિનેટ પ્રધાનો રાજીનામા આપી શકે છે તેમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પલ્લમ રાજુ, પુરંદેશ્વરી, જે ડી શીમલ અને કૃપારાનીના નામનો સમાવેશ થાય છે. આ પ્રધાનો ઉપરાંત સીમાન્ધ્રના 10 સાંસદઓ અંગે પણ અહેવાલ મળી રહ્યા છે કે તેઓ પણ આ મુદ્દે રાજીનામા આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર મંત્રીઓ અને 10 સાંસદોએ ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે એક ગહન બેઠક યોજી હતી. આ બેઠક પહેલાના ઘટનાક્રમમાં આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારના 37માંથી 19 મંત્રીઓએ ગુરુવારે રાજીનામા આપી દીધા હતા. મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી સાથે મુલાકાત કર્યા બાદ આ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામા આપવાના સિલસિલામાં 9 મંત્રીઓ ઉપરાંત 26 ધારાસભ્યોએ પણ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામા સોંપી દીધા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
