દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી હુમલો : 3 જવાન શહીદ
કાશ્મીર સ્થિત સેનાની 15મી કોરના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નરેશ વિજે જણાવ્યું કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારથી જ્યારે સેનાની ટુકડી પસાર થઇ રહી હતી, ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે "શરૂઆતના સંઘર્ષમાં આપણા ત્રણ જવાનો માર્યા ગયા છે. ત્યાર બાદ સેનાએ એક માઇલ દૂર ચરમપંથીઓને ઘેરી લીધા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે."
આ દરમિયાન ગુપ્તચર વિભાગના એક અગ્રણી અધિકારીએ બીબીસીને જણાવ્યું કે તેઓ પોતાની પાછળ બે એસએલઆર રાઇફલ છોડી ગયા છે. આ રાઇફલ પાછલા વર્ષે એક ચોકીમાંથી ચોરવામાં આવી હતી. પાછલા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં ચરમપંથ ઘટ્યો છે, જેના કારણે પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત હવે અલગતાવાદી સશસ્ત્ર આંદોલનો પણ થંભી ગયા છે.
આ પહેલા ગુરુવારે પોલીસે દાવો કર્યો હતો કે તેમણે ચરમપંથી હિલાલ અહેમદને મારી નાખ્યો છે. પોલીસ છેલ્લા કેટલાક સમયથી અહેમદને શોધી રહી હતી. કારણ કે પોલીસ તેને રસ્તાઓ પર હિંસક આંદોલનનો જવાબદાર ગણે છે.