જમ્મુમાં CISFની બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, બે ઘાયલ
જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે CISFના જવાનોની બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો છે.
શ્રીનગરઃ જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે CISFના જવાનોની બસ પર આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ જવાનો સવારની શિફ્ટ કરવા માટે સવારે લગભગ 4.25 વાગે જઈ રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ બસ પર ચઢ્ઢા કેમ્પ પાસે હુમલો કરી દીધો છે. CISFના અધિકારીએ જણાવ્યુ કે સીઆઈએસએફના આ હુમલાનો જવાનોએ જોરદાર સામનો કર્યો અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો. જેના કારણે આતંકીઓએ ત્યાંથી ભાગવુ પડ્યુ. આ દરમિયાન એક એએસઆઈને ગોળી વાગી ગઈ અને તે શહીદ થઈ ગયા જ્યારે બે જવાન ઘાયલ થયા છે.

આજે સવારે જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે જ્યારે ચાર જવાન ઘાયલ થઈ ગયા છે. જમ્મુ ઝોનના એડીજી મુકેશ સિંહે જણાવ્યુ કે અમે રાતે આખા વિસ્તારને ખાલી કરાવી લીધુ હતુ અને તેને ચારે તરફથી ઘેરી લીધુ હતુ. એનકાઉન્ટર હજુ પણ ચાલી રહ્યુ છે, આતંકી એવુ લાગે છે કે ઘરની અંદર છૂપાયા છે, અમે તેમને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસના પ્રસંગે 24 એપ્રિલ, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. તે રાજ્યના પલ્લીથી દેશની પંચાયતોને સંબોધિત કરશે. બે દિવસ પહેલા જ સુરક્ષાબળોએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા(આઈબી) પર હીરાનગર સેક્ટરથી પાંચ શંકાસ્પદોને પકડ્યા છે. પૂછપરછ બાદ આમાંથી બે લોકોને જમ્મુ મોકલી દીધા છે. પોલિસે બુધવારે સવારે સીમા પાસેના ગામોમાં બેગ અને દસ્તાવેજો સાથે શંકાસ્પદોને પકડ્યા.વર્ષ 2018માં, આતંકવાદીઓએ સુંજવાંમાં સેનાના શિબિર પર હુમલો કર્યો હતો ત્યારે પાંચ સુરક્ષાકર્મી અને એક નાગરિકનુ મોત થયુ હતુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
