રાહુલ ગાંધીના પીએમ પર કરેલા આરોપની સચ્ચાઇ શું છે જાણો અહીં
જાણો તે કાગળોની સચ્ચાઇ, જેના આધાર પર રાહુલએ પીએમ પર કર્યો આરોપ
ગુજરાતના મહેસાણામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જે દસ્તાવેજોના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે. તેને સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અપ્રમાણિક અને કાલ્પનિક કહી બરતરફ કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે એક પીઆઇએલની સુનવણી દરમિયાન આ કાગળને કાલ્પનિક ગણાવ્યા છે અને તે મામલે આજે પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

નોંધનીય છે કે વકીલ પ્રશાંત ભૂષણે રાજનૈતિક નેતાઓના કોરપોરેટ પરિવારોથી મળતા નાણાં પર એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં નાખી છે. આ નેતાઓમાં નરેન્દ્ર મોદીનું પણ નામ હતું. રાહુલ ગાંધી જે કાગળોની વાત કરે છે તે આજ પીઆઇએલ હેઠળ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો સહારા અને બિરલા ગ્રુપો પાસેથી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કર્યા હતા.
સુપ્રિમ કોર્ટે શું કહ્યું
સહારાના આ ડોક્યૂમેન્ટના આધારે પ્રશાંત ભૂષણે અરજીમાં નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 2013ના ઓક્ટોબર અને નવેમ્બરમાં ગુજરાતના સીએમ પદ પર રહેતા તેમણે સહારા અને આદિત્ય બિરલા ગ્રુપથી ભારે મોટી રકમમાં નાણાં લીધા હતા. આ કેસની 25 નવેમ્બરે સુનવણી થઇ હતી જસ્ટિસ જે એસ ખેહર અને જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ કહ્યું કે આ ડોક્યુમેન્ટ પર વિશ્વાસ મૂકાય તેવો નથી. અને તે અપ્રામાણિક હોવાના આધારે તેની પર તપાસનો આદેશ ન આપી શકાય. વધુમાં પ્રશાંત ભૂષણને 14 ડિસેમ્બર સુધી આ પર ઠોસ પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું. પણ નક્કી સમય સીમાની અંદર પ્રશાંત ભૂષણે આ પર કોઇ આધારભૂત દસ્તાવેજ ના લાવી શક્યા.
તે પછી 16 ડિસેમ્બરે આ કેસની સુનવણી થઇ તો પ્રશાંત ભૂષણ સવાલ કર્યો કે શું જસ્ટિસ ખેહર આ કેસની સુનવણી માટે ઉપયુક્ત છે. તે પણ ત્યારે જ્યારે તેમની ચીફ જસ્ટિસ બનવાની ફાઇલ પીએમ પાસે મંજૂરી માટે ગઇ છે. પ્રશાંત ભૂષણે આ વ્યવહાર પર આપત્તિ વ્યક્ત કરતા બેંચની સુનવણી સ્થગિત કરવામાં આવી અને હવે આ કેસની આગલી સુનવણી 11 જાન્યુઆરી થવાની છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
