અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર યોગી સરકાર બેન લગાવી શકે છે
ઉત્તરપ્રદેશ સરકાર આખા અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ વેચાણ પર બેન લગાવી શકે છે. આ પ્રતિબંધ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને પ્રદેશના બીજા ધાર્મિક શહેરોમાં પર પણ લગાવવામાં આવી શકે છે
ઉત્તરપ્રદેશ સરકાર આખા અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ વેચાણ પર બેન લગાવી શકે છે. આ પ્રતિબંધ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને પ્રદેશના બીજા ધાર્મિક શહેરોમાં પર પણ લગાવવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ સ્થાનીય સંતોની માંગ પર લગાવવામાં આવી રહ્યો છે. યુપી સરકારમાં પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ પણ તેના વિશે સંકેત આપતા જણાવ્યું કે સરકાર દારૂ અને માંસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.

શ્રીકાંત શર્માએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે સરકાર આખા અયોધ્યા જિલ્લામાં એક કાનૂની પ્રક્રિયા હેઠળ માંસ અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે વિચાર કરી રહી છે. હાલમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ નવા જિલ્લાના અયોધ્યા શહેર સુધી જ સીમિત છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતાઃ સીએમ યોગી
શ્રીકાંત શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યના અલગ અલગ જગ્યાઓથી સાધુ સંતો ધાર્મિક જગ્યાઓ પર દારૂ અને માંસ વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે મથુરાના સાધુ સંત ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ વિસ્તાર પર દારૂ અને માંસ પ્રતિબંધ લગાવવા માટે માંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: બહેન-દીકરી, ધર્મ, સંસ્કૃતિને બચાવવી હોય તો ભાજપને મત આપોઃ સંત સમાજ
મથુરાના સપ્તકોશી પરિક્રમા રુટ પર આવતા વૃંદાવન, ગોવર્ધન અને બરસાનામાં પ્રતિબંધ લગાવવા માટે માંગ ઉઠી રહી છે. 6 નવેમ્બરથી ફેઝબાદનું નામ અયોધ્યા રાખ્યા પછી ત્યાં દારૂ અને માંસ પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્રં દાસે સરકાર પાસે માંગ કરી છે કે અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર પ્રતિબંધ લગાવીને આખા જિલ્લાને પવિત્ર કરવું જોઈએ.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
