હવે સ્વચ્છ છબી બનાવવા UPA સરકાર જાહેરાતો પાછળ ખર્ચશે 180 કરોડ

મનમોહન સરકારના પાઠલા 9 વર્ષના કાર્યકાળમાં કરવામાં આવેલા કાર્યોને મૌન ક્રાંતિ ગણાવીને માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ "ભારત નિર્માણ" નામથી એક પ્રચાર-પ્રસાર અભિયાન છેડવાની જાહેરાત કરી હતી.
યુપીએ-2 સરકારની ચોથી વર્ષગાંઠે સરકાર 'ગ્લિમ્પસિસ ઓફ ધ ઇન્ડિયા સ્ટોરી' નામથી એક દેશવ્યાપી પ્રચાર અભિયાન શરૂ કરી રહી છે. તેમાં યુપીએ સરકારની જનકલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓનો અમલ અને દેશના વિકાસમાં તેનું યોગદાન કેવું રહ્યું તે બાબત સામાન્ય જનતા સમક્ષ મૂકવામાં આવશે.
મનીષ તિવારીએ સોમવારે સરકારની અગ્રણી યોજનાઓ પર આધારિત એક જાહેરાતની સીડીનું વિમોચન કર્યું હતું. જો કે મનીષ તિવારીએ આ પ્રચાર અભિયાનની તુલના એનડીએ સરકારના ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેઇન સાથે કરવું અયોગ્ય ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે આમાં ઇન્ડિયા શાઇનિંગ જેવી સપનાની વાતોને બદલે વાસ્તવિક પરિવર્તનોને દર્શાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે યુપીએ સરકારના સમયમાં સામાન્ય જનતાના અધિકાર પર આધારિત યોજનાઓ અને કાયદાઓ આપીને દેશમાં મૌન ક્રાંતિનો માહોલ બન્યો છે. તેમણે જણાવ્યું કે અમે કર્ણાટકમાં જનતાની વિચારધારાની એક ઝલક જોઇ છે. અમને આશા છે કે વર્ષ 2004 અને 2009ની જેમ 2014માં પણ જનતા અમને સારું કામ કરવાની તક પૂરી પાડશે.
આ જાહેરાત પ્રચાર અભિયાનમાં સરકારે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તે એનડીએના ઇન્ડિયા શાઇનિંગ જેવું ના હોય. આમ છતાં કેન્દ્ર સરકારે આ જાહેરાત અભિયાન પાછળ કરેલા 180 કરોડ રૂપિયાના ભારે ખર્ચને લઇને વિવાદ ઉભો થયો છે. આ અભિયાનને કારણે વર્ષ 2013-14માં ડીએવીપીનું વાર્ષિક બજેટ વધીને 600 કરોડ રૂપિયા થઇ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં ઇન્ડિયા શાઇનિંગ પાછળ તત્કાલીન એનડીએ સરકારે રૂપિયા 150 કરોડનો ખર્ચ કર્યો હતો. વર્ષ 2009માં ચૂંટણી પહેલા યુપીએ-2 સરકારે 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ભારત નિર્માણ થીમ પાછળ પણ સરકારે ઘણી મહેનત કરી છે. જાવેદ અખ્તર લિખિત ગીતના શબ્દો 'મીલોં હમ આ ગયે, મીલોં હમે ચલના હૈ... કુછ સપને પા લિયે, કુછ અભી પાના હૈ...'માં કંઠ્યસ્વર સુનિધિ ચૌહાણ અને શાને આપ્યા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
