દેશના 80 કરોડ લોકોને આપવામાં આવી રહ્યુ છે મફત રાશન, પાકિસ્તાનમાં રોટલીના ફાફાઃ સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ત્રણ દિવસીય કૌશામ્બી મહોત્સવનો શુભારંભ કરાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ સ્વાગત કર્યુ અને દેશની ડબલ એન્જિનવાળી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી.
આ દરમિયાન સીએમ યોગીએ પડોશી દેશ પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યુ કે સરકાર દેશના 80 કરોડ ગરીબ પરિવારોને મફત રાશન વહેંચી રહી છે, જ્યારે પાકિસ્તાનમાં રોટલીના ફાફા પડી ગયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ પહેલીવાર સાંસદ વિનોદ સોનકરના આમંત્રણ પર વર્ષ 2018માં કૌશામ્બી ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. આ પછી, હવે ફરીથી ઉત્સવમાં ભાગ લેવાની તક મળી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ સ્થળ પરથી રૂ. 612.94 કરોડના ખર્ચના 117 પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત, આ શહેરોમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના રેટ
મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એકલા યુપીમાં 46 લાખથી વધુ લોકોને ઘર આપવાનું કામ કરવામાં આવ્યું છે. બે કરોડ 61 લાખ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા. એક કરોડ 75 લાખ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા. 10 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને સ્વાનિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો. સ્વામિત્વ યોજનાનો લાભ 35 લાખ પરિવારોને મળ્યો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રમત પ્રતિભાઓને હવે મા ગંગા અને યમુનાના દોઆબામાં ખીલવાની તક મળશે, જેમાં રામાયણ, બૌદ્ધ અને આધુનિક ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો સમાવેશ થાય છે. તેમણે દરેક ગામ અને બ્લોકમાં રમતગમતના મેદાન તેમજ જિલ્લા સ્તરે સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી હતી.
ઈતિહાસનો ઉલ્લેખ કરીને સીએમ યોગીએ કહ્યુ કે પ્રાચીન પૃષ્ઠભૂમિમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે તેમના વનવાસ દરમિયાન આ જિલ્લામાં એક રાત વિતાવી હતી અને ઐતિહાસિક અને પૌરાણિક પરંપરાઓ ધરાવતું શક્તિપીઠ માતા શીતલાનું મંદિર લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સીએમ યોગીએ કહ્યું કે રાજ્ય સરકારે કોઈપણ જાતના ભેદભાવ વિના દરેકનો વિકાસ કર્યો છે. વિકાસનું કિરણ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ જાણે છે કે અલાહાબાદી તરીકે દેશ-વિદેશમાં જાણીતુ જામફળ વાસ્તવમાં કૌશામ્બીમાં ઉગે છે. આ અંગે ખાસ કરીને બાગાયત વિભાગના લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. એવું માનવામાં આવે છે કે જામફળના બગીચાઓ જે કૌશામ્બીમાં વિલ્ટ રોગના કારણે મૃત્યુ પામી રહ્યા છે તેઓને નવુ જીવન મળી શકે છે.
મોંઘવારી વચ્ચે મોટી રાહત, ATGLએ ઘટાડ્યા CNG અને PNGના ભાવ, જાણો શું છે નવા રેટ