પ્રતાપગઢમાં ડીએસપી રેંકના અધિકારીની હત્યા

police
લખનઉ, 3 માર્ચ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કુંડા વિસ્તારમાં આવનાર વલીપુર ગામમાં શનિવારે મોડી રાત્રે થયેલી હિંસામાં સીઓ તથા સરપંચ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા, અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં તણાવ પેદા થઇ ગયો હતો. જેને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટોચના અધિકારીઓએ સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા જણાવ્યું હતું કે સ્થિતી કાબૂમાં છે.

જિલ્લા પોલીસ મહાનિર્દેશક અરૂણ કુમારે પણ રવિવારે સવાતે ધટનાસ્થળે પહોંચી સ્થિતીની માહિતી મેળવી હતી. તેમની સાથે અલ્હાબાદ રેંજના આઇજી અને ડીઆઇજી રેંકના અધિકારી પણ હાજર રહ્યાં હતા. અધિકારીઓએ કહ્યું હતું કે વલીપુર ગાંમમાં હાલ સ્થિતી નિયંત્રણમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઓની મોતના કેસમાં પોલીસે ચાર લોકો વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે મોડી રાત્રે જ કેટલીક જગ્યાએ રેડ પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કુંડાના વલીપુર ગાંમમાં શનિવારે મોડી રાત્રે બે ટુકડીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સરપંચ સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા. ધટનાની જાણકારી મળતાં ત્યારબાદ હિંસા રોકવા પહોંચેલા સીઓ જિયાઉલ હક પર ગ્રામજનોએ હુમલો કરી દિધો હતો, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતા તે તેમને રસ્તામાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

સીઓની મોતના સમાચાર મળતાં વલીપુરમાં મોડી રાત્રે ત્વરિત કાર્ય દળના જવાનોએ ભારે સંખ્યામાં પોલીસ દળની ટુકડીને તૈનાત કરી દિધી હતી. પોલીસ વલીપુરમાં સતત તપાસ અભિયાન ચલાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X