આવતી વખતે વિપક્ષી નેતાઓને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, ગણતરી કરવા નીચે ઉતારી દો
આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.
બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યા અંગે રાજકીય ગતિરોધ બનેલો છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી દળોના નેતાઓએ સરકારને પૂછ્યુ છે કે 250-300 કે પછી 350ના આંકડા ક્યાંથી આવ્યા? વિપક્ષી દળોનું કહેવુ છે કે સરકાર કેમ નથી જણાવતી કે કેટલા આતંકી તે એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા. વળી, આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

‘જ્યારે બોમ્બ નીચે પડે તો ત્યાંથી જોઈ લે ટાર્ગેટ'
જનરલ વી કે સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યુ, ‘આવતી વખતે જ્યારે ભારત કંઈ કરે તો મને લાગે છે કે વિપક્ષી જે સવાલ ઉઠાવે છે, તેમને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, જ્યારે બોમ્બ પડે ત્યારે ત્યાંથી જોઈ લે ટાર્ગેટ. પછી તેમને ત્યાં જ ઉતારી દે, પછી તે ગણી લે અને પાછા આવી જાય.' ‘મચ્છરોની ગણતરી...' વાળા ટ્વિટ પર તેમણે કહ્યુ કે 1000 કિલોના બોમ્બ વિસ્ફોટ બાદ શું લોકો નહિ મરી જાય? જો મરી ગયા, તો તમે માર્યા ગયેલા લોકોની સંખ્યાનું અનુમાન લગાવો છો. હું નથી જાણતો કે કોણ આને ગણવા ઈચ્છશેય આ દૂર્ભાગ્યની વાત છે.
|
‘માર્યા ગયેલા લોકો વિશે અનુમાન લગાવી શકીએ છીએ, કોણ ગણતરી કરવા ઈચ્છે છે'
આ પહેલા હરિયાણાના મંત્રી અને ભાજપ નેતા અનિલ વિજે ટ્વિટ કરીને વિરોધી નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. વિજે ટ્વિટ કર્યુ હતુ, ‘આવતી વખતે ભારત જ્યારે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ પર બોમ્બ ફેંકે તો મહાગઠબંધનના કોઈ નેતાને નીચે ઉભા રાખી દેવાના જેથી તે જાતે લાશો ગણી શકે.'

એર સ્ટ્રાઈક બાદ ચાલુ છે રાજકારણ
તમને જણાવી દઈએ કે સરકાર તરફથી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓનો હજુ સુધી કોઈ અધિકૃત આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે એક રેલીને સંબોધિત કરતા એ દાવો કર્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. અમિત શાહના આ નિવેદન બાદ હવે ઘણા વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકારે કોઈ આંકડો નથી આપ્યો અને એરફોર્સે કંઈ જણાવ્યુ નથી તો અમિત શાહને કેવી રીતે ખબર પડી કે કેટલા આતંકી માર્યા ગયા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી











Click it and Unblock the Notifications
