આવતી વખતે વિપક્ષી નેતાઓને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, ગણતરી કરવા નીચે ઉતારી દો
આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.
બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યા અંગે રાજકીય ગતિરોધ બનેલો છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી દળોના નેતાઓએ સરકારને પૂછ્યુ છે કે 250-300 કે પછી 350ના આંકડા ક્યાંથી આવ્યા? વિપક્ષી દળોનું કહેવુ છે કે સરકાર કેમ નથી જણાવતી કે કેટલા આતંકી તે એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા. વળી, આતંકીઓની સંખ્યા પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે.

‘જ્યારે બોમ્બ નીચે પડે તો ત્યાંથી જોઈ લે ટાર્ગેટ'
જનરલ વી કે સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યુ, ‘આવતી વખતે જ્યારે ભારત કંઈ કરે તો મને લાગે છે કે વિપક્ષી જે સવાલ ઉઠાવે છે, તેમને વિમાનની નીચે બાંધીને લઈ જાવ, જ્યારે બોમ્બ પડે ત્યારે ત્યાંથી જોઈ લે ટાર્ગેટ. પછી તેમને ત્યાં જ ઉતારી દે, પછી તે ગણી લે અને પાછા આવી જાય.' ‘મચ્છરોની ગણતરી...' વાળા ટ્વિટ પર તેમણે કહ્યુ કે 1000 કિલોના બોમ્બ વિસ્ફોટ બાદ શું લોકો નહિ મરી જાય? જો મરી ગયા, તો તમે માર્યા ગયેલા લોકોની સંખ્યાનું અનુમાન લગાવો છો. હું નથી જાણતો કે કોણ આને ગણવા ઈચ્છશેય આ દૂર્ભાગ્યની વાત છે.
|
‘માર્યા ગયેલા લોકો વિશે અનુમાન લગાવી શકીએ છીએ, કોણ ગણતરી કરવા ઈચ્છે છે'
આ પહેલા હરિયાણાના મંત્રી અને ભાજપ નેતા અનિલ વિજે ટ્વિટ કરીને વિરોધી નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. વિજે ટ્વિટ કર્યુ હતુ, ‘આવતી વખતે ભારત જ્યારે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ પર બોમ્બ ફેંકે તો મહાગઠબંધનના કોઈ નેતાને નીચે ઉભા રાખી દેવાના જેથી તે જાતે લાશો ગણી શકે.'

એર સ્ટ્રાઈક બાદ ચાલુ છે રાજકારણ
તમને જણાવી દઈએ કે સરકાર તરફથી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓનો હજુ સુધી કોઈ અધિકૃત આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે એક રેલીને સંબોધિત કરતા એ દાવો કર્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા ગયા છે. અમિત શાહના આ નિવેદન બાદ હવે ઘણા વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકારે કોઈ આંકડો નથી આપ્યો અને એરફોર્સે કંઈ જણાવ્યુ નથી તો અમિત શાહને કેવી રીતે ખબર પડી કે કેટલા આતંકી માર્યા ગયા.
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
