સામનાના સંપાદકીય ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવા માટે નથી : આદિત્ય ઠાકરે
મુંબઇ, 5 મે : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ સામનાના સંપાદકીય ગુજરાતીઓને પ્રોત્સાહિત કરવા નથી એવું નિવેદન આપીને વિવાદનો વમળ ઉભો કર્યો છે. આદિત્યએ આપેલા નિવેદન બાદ સામનાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખપત્ર સામનાના નવા અંકમાં ગુજરાતી સમુદાય વિરોધી સંપાદકીય પ્રકાશિત થતા વિવાદ સર્જાયો છે. શિવસેનાએ આ મુદ્દે પોતાને અલગ કરતા કહ્યું છે કે પાર્ટી સામનામાં પ્રકાશિત સંપાદકીય લેખ સાથે સહમત નથી. જોકે આ મુદ્દે સામનાએ સ્પષ્ટતા કરી છે કે આદિત્ય ઠાકરે તેમના આ લેખને સમર્થન આપ્યું છે. મહત્વું છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની રેલીઓમાં હાજર રહેલા ગુજરાતી સમુદાયની ટીકા કરવામાં આવી હતી.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલી મેના રોજ સામનામાં પ્રકાશિત લેખ મુદ્દે કહ્યું કે શહેરમાં મરાઠીઓ અને ગુજરાતીઓ વચ્ચેના સંબંધો મજબૂત બને તેવું શિવસેના ઈચ્છે છે. ઉદ્ધવ ઠાકરે યુરોપ પ્રવાસે હતા આ દરમિયાન તેમણે આ નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું કે લોકો ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે અંતર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોકે સામના મુખ્ય સંપાદક સંજય રાઉતના બચાવમાં આદિત્ય આવ્યો છે. મળતા સમાચારો પ્રમાણે આ સંપાદકીય લેખ બાદથી શિવસેનામાં આંતરિક ખળભળાટ મચી જવા પામ્યો છે. સામનાએ ટ્વીટર પર આ મુદ્દે સ્પષ્ટતા કરતા લખ્યું છે, આદિત્ય ઠાકરેએ સામનામાં પ્રકાશિત આ સંપાદકીય લેખને ટેકો આપ્યો છે.
વધુમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ લેખમાં મુંબઈના ગુજરાતીઓને નિશાન નથી બનાવ્યા, પરંતુ આદિત્યના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. શિવસેનાએ સ્પષ્ટતા કરવી પડી છે કે આ લેખ દ્વારા તેઓ મુંબઈના કોઈ પણ સમુદાયની ટીકા નથી કરતા, તેમનું માનવું છે કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠીઓ જેટલો જ ફાળો ગુજરાતીઓનો પણ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
