અમે ધર્માંતરણ રોકવા માટે ધર્મ પરિવર્તન વિરોધી કાયદો લાવીશું - કર્ણાટક CM
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધર્માંતરણ અટકાવવા માટે વિધાનસભામાં કાયદો લાવવા પર વિચાર કરી રહી છે.
બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધર્માંતરણ અટકાવવા માટે વિધાનસભામાં કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. બોમ્માઇએ જણાવ્યું હતું કે, અમે ધર્માંતરણ વિરોધી કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ.
રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણની ફરિયાદો ઉઠી રહી છે
પ્રદેશમાંથી બળજબરીથી ધર્માંતરણ થયાના અહેવાલો બાદ કર્ણાટકના મુખ્યમંત્રી યાદગીરમાં ધર્મ પરિવર્તનના આરોપનો જવાબ આપી રહ્યા હતા. રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણની ફરિયાદો ઉઠી રહી છે. તેને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા માટે કાયદો ઘડવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.
કેટલાક રાજ્યો પહેલેથી જ ધર્માતરણ વિરોધી બીલ લાવ્યા છે
21 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ગૃહમંત્રી આરાગા જ્ઞાનેન્દ્રએ પણ કહ્યું હતું કે, સરકાર રાજ્યમાં ટોક વિરોધી કાયદો લાવવાનું વિચારી રહી છે અને આ માટે તેઓ અન્ય રાજ્યોના કાયદા વાંચી રહ્યા છે. અમે એક બિલ (ધર્માતરણ વિરોધી બીલ) લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. કેટલાક રાજ્યો પહેલેથી જ ધર્માતરણ વિરોધી બીલ લાવ્યા છે. અમે તેમનો અભ્યાસ કરીશું અને તે બીલ લાવીશું.
ધર્મપરિવર્તન સામે કાયદો ઘડનારુ ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું હતું
આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાએ લગ્ન દ્વારા બળજબરીથી ધર્મપરિવર્તન સામે વધુ કડક સજા લાવવા માટે 'ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2021' બહુમતીથી પસાર કર્યો હતો. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ બળજબરીથી ધર્મપરિવર્તન સામે કાયદો ઘડનારુ ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું હતું.