દાઉદ ઇબ્રાહિમને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે: શિંદે
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: પોતાના કાર્યકાળ દરમિયાન ઇચ્છિત આતંકવાદીઓની ધરપકડથી ઉત્સાહિત કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ સોમવારે કહ્યું હતું કે ભારતના 'મોસ્ટ વોન્ટેડ' ગુનેગાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમને ભારત લાવીને તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સુશીલ કુમાર શિંદેએ સંવાદદાતાએ કહ્યું હતું કે 'અમે એક-એક કરીને (એવા લોકોને) બધાને લાવીશું. ફક્ત રાહ જુઓ.' તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું દાઉદની ધરપકડ કરી ભારતમાં પરત લાવવાની કોઇ આશા છે?
મોટાપાયે ગેરકાનૂની વેપારમાં લુપ્ત અંડરવર્લ્ડ ડોન દાઉદ 1993ના મુંબઇ બ્લાસ્ટ બાદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બન્યો. તેના પર મુંબઇ વિસ્ફોટનું કાવતરું રચવાનો અને તેના માટે નાણાં પુરા પાડવાનો આરોપ છે.
અમેરિકાના અનુસાર દાઉદના આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે ગાઢ સંબંધ છે. પરિણામસ્વરૂપ અમેરિકાએ તેને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કર્યો છે અને દુનિયાભરમાં તેની સંપત્તિને જપ્ત કરવા તથા તેની ગતિવિધિઓ પર કાર્યવાહી કરવાના પ્રયત્નમાં સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ગુહાર લગાવી છે. માનવામાં આવે છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે.
ગૃહમંત્રીના રૂપમાં સુશીલ કુમાર શિંદેના કાર્યકાળ દરમિયાન સુરક્ષા એજન્સી સૈયદ જબીઉદ્દીન અંસારી ઉર્ફે અબૂ જંદલ, ફસીહ મહમૂદ, અબ્દુલ કરીમ ટુંડા અને યાસીન ભટકલ સહિત કેટલાક આતંકવાદીઓને ભારત લાવવામાં સફળ રહી. સુશીલ કુમાર શિંદે ગત 31 જુલાઇના રોજ ગૃહમંત્રી બન્યા હતા.

લશ્કર-એ-તોઇબાના આતંકવાદી જંદલ અમદાવાદ રેલવે સ્ટેશન, ઔરગાબાદ હથિયાર કેસનો આરોપી છે. તે જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં સહ આરોપી છે. તેને જૂન 2012માં સાઉદી અરબથી ભારત લાવવામાં આવ્યો હતો.
લશ્કર આતંકી ફસીહ મહમૂદ 2010માં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા વિસ્ફોટ તથા દિલ્હીમાં જામા મસ્જિદ નજીક થયેલા આતંકી હુમલામાં કથિત રીતે સામેલ હતો. તેની સાઉદી અરબમાંથી ધરપકડ કરવામાં આવી હતી પછી તેને ભારત લાવવામાં આવ્યો હતો.
અબ્દુલ કરીમ ટુંડા પર નવી દિલ્હી, પાણીપાત, સોણીપત, લુધિયાણા, કાનપુર અને વારાણસીમાં ડિસેમ્બર 1996 થી જાન્યુઆરી 1998 વચ્ચે થયેલા વિસ્ફોટનો આરોપ છે. તેને ગત મહિને ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ સંસ્થાપક યાસીન ભટકલ ઉર્ફે સૈયદ મોહંમદ અહમદ જરાત સિદ્દિબાપા વિસ્ફોટના લગભગ 40 કેસમાં સંડોવાયેલો છે અને તેના પર 35 લાખ રૂપિયાનું ઇનામ હતું. યાસીન ભટકલની ગત ગુરૂવારે ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
