For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પાકિસ્તાનને પરમાણુ ટેક્નોલોજી આપવા માંગતા હતા ઇન્દિરા ગાંધી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: વિકિલીક્સે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અંગે નવો ખુલાસો કર્યો છે. વિકિલીક્સના દસ્તાવેજો અનુસાર 1974માં ભારતના પરમાણું પરિક્ષણ કર્યા બાદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને શાંતિ કાર્યો માટે પરમાણુ ટેક્નોલોજી આપવાનો પ્રસ્તાવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે 22 જુલાઇ, 1974ના રોજ ભારતે પોખરણમાં પરિક્ષણ કર્યું હતું. પરિક્ષણ બાદ ઇન્દિરા ગાંધી સંસદમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને કહ્યું હતું કે ભારત શાંતિ કાર્યો માટે પરમાણુ ટેક્નોલોજીને પાકિસ્તાન સાથે વહેંચવા માટે તૈયાર છે.

વિકિલીક્સે આ ખુલાસો અમેરિકી દુતાવાસ દ્રારા જાહેર કરવામાં આવેલા ઇન્દિરા ગાંધીના નિવેદનના આધારે કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ઇન્દિરા ગાંધીએ ભુટ્ટોને લખેલા પત્રમાં પરમાણુ પરિક્ષણના શાંતિપૂર્ણ અને આર્થિક ઉદ્દેશ્યોના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આ ટેક્નોલોજીને પાકિસ્તાન સાથે વહેંચવામાં ઇચ્છુક છે, આ પ્રકારે અમે અન્ય દેશો સાથે પણ ટેક્નોલોજીને વહેંચવા માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે વિકિલીક્સે આ પહેલાં ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીના ધરમાં એક અમેરિકી દૂતાવાસ હોવાની વાત કહી હતી.

English summary
However, after its first nuclear test in 1974, India offered to share nuclear technology with Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X