વાણી વિલાસની વણઝાર: યશવંત સિન્હાએ રાહુલની તુલના ઘોડા સાથે કરી
યશવંત સિન્હાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી લગ્નના વરઘોડાના એ ઘોડા છે જે એકલા આગળ વધી શકતા નથી. તેમની આસપાસ ચાલનારા જાનૈયા નેતા તેમને આગળ વધારવાની પુરજોશમાં તૈયાર કરી રહ્યાં છે.
આ અગાઉ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ એક સભાને સંબોધતા નરેન્દ્ર મોદીની વાંદરા સાથે કરતાં કહ્યું હતું કે આ વાંદરો ઝાડ પર બેસીને સિંહને પડકાર ફેંકે રહ્યો છે. તેને ખબર નથી કે વાંદરો ક્યારેય સિંહ બની ન શકે.
જો તુલનાની વાત કરીએ તો આજકાલ ભારતીય રાજકારણમાં દરેક નેતા તાજવું લઇને સામેવાળાને તોલવામાં લાગેલો છે. દિગ્વિજય સિંહે ટ્વિટર પર અરવિંદ કેજરીવાલની તુલના રાખી સાવંત સાથે કરી છે. કોંગ્રેસના મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીની તુલના રાવણ સાથે કરી છે.
આ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહીમ સાથે કરી હતી. ઓસ્કર ફર્નાન્ડિઝે રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરી છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા ભૂરિયાએ સોનિયા ગાંધીને રાષ્ટ્રમાતાના દરજ્જો આપ્યો છે.