પાસપોર્ટના પડતર પ્રશ્નો માટે કેમ્પ યોજાશે, માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત

પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રાજ્યભરના અરજદારો માટે 27 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અમૃત સમાધાન શિબિરનું આયોજન કરવામાં આવશે, જેથી પાસપોર્ટની પડતર અરજીઓના પ્રશ્નોને ઉકેલવામાં આવે.

રાજકોટ : પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રાજ્યભરના અરજદારો માટે 27 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અમૃત સમાધાન શિબિરનું આયોજન કરવામાં આવશે, જેથી પાસપોર્ટની પડતર અરજીઓના પ્રશ્નોને ઉકેલવામાં આવે. RPO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, જે લોકોએ 1 જાન્યુઆરીથી 30 જૂન વચ્ચે પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેમની અરજી પેન્ડિંગ છે, તેઓ કેમ્પમાં હાજરી આપી શકે છે.

જરૂરી દસ્તાવેજો અને ફોટો આઈડી સાથે આવવા જણાવાયું

જરૂરી દસ્તાવેજો અને ફોટો આઈડી સાથે આવવા જણાવાયું

જેમણે રાજકોટ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજી સબમિટ કરી છે, તેમની સુનાવણી 27 ઓગસ્ટના રોજ સવારે 10 થી 1 કલાક દરમિયાન થશે,જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતે જેઓએ અરજી સબમિટ કરી છે, તેમની સુનાવણી બપોરે 2 થી સાંજના 5 કલાક દરમિયાન કરવામાંઆવશે. અરજદારોને જરૂરી દસ્તાવેજો અને ફોટો આઈડી સાથે આવવા જણાવાયું છે.

પાર્ક કરેલી ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતાં ત્રણનાં મોત

પાર્ક કરેલી ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતાં ત્રણનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારના રોજ પાછળથી ઉભેલી ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા, પોલીસે જણાવ્યુંહતું.

લખતર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માત સુરેન્દ્રનગર-વિરમગામ રાજ્ય ધોરીમાર્ગ પર કડુ ગામ નજીકસવારે 4 કલાકેની આસપાસ થયો હતો.

ત્રણેય લોકોનું ઘટનાસ્થળે જ મોત

ત્રણેય લોકોનું ઘટનાસ્થળે જ મોત

અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણેય વ્યક્તિઓ આ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં કામ કરવા જતા હતા, એમ તેમણે જણાવ્યું હતું. "તેમનીઝડપે આવતી મોટરસાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. ત્રણેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X