અફઘાનિસ્તાનમાં હિમપ્રપાતને કારણે 100 લોકોનું મૃત્યુ, ભારતમાં એલર્ટ
છેલ્લા ત્રણ દિવસમાં અફઘાનિસ્તાનમાં હિમપ્રપાતને કારણે 100 લોકોનું મૃત્યુ થઇ ચૂક્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ રવિવારે મધ્યમ સ્તરના હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી હતી.
હિમવર્ષા અને હિમપ્રપાત ને કારણે છેલ્લા થોડા દિવસોમાં લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારત હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન, કુદરતના તોફાનથી કોઇ નથી બચ્યું. છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર અફઘાનિસ્તાનમાં જ 100 લોકોનું મૃત્યુ થયું છે અને હજુ આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતના એક જ ગામના 50 લોકોનું મૃત્યુ થયું છે. અફઘાનિસ્તાનના ડિઝાસસ્ટર મેનેજમેન્ટ એન્ડ હ્યુમેનિટેરિયન અફેર્સના મંત્રીના પ્રવક્તા ઉમર મોહમ્મ્દીએ જણાવ્યું કે, હિમવર્ષાને કારણે 168 ઘરો નાશ પામ્યાં છે અને 340 લોકોનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાનમાં પણ હિમપ્રપાત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ હોવાના સમાચાર આવ્યા છે. ઘણી જગ્યાઓએ હિમપ્રપાતની ઘટનાઓ પણ થઇ છે, જેને કારણે પાંચ મકાન બરફની નીચે દટાઇ ગયા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર આ હિમપ્રપાતને કારણે 14 લોકોનું મૃત્યુ થયું છે. ભારે બરફ નીચેથી આ 14 લોકોના શબ કાઢવામાં આવ્યા છે, જેમાં 6 મહિલાઓ, 6 બાળકો અને 2 પુરૂષનો સમાવેશ થાય છે. ભારે હિમવર્ષાને કારણે આ ક્ષેત્રના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી પણ શરૂ થઇ ચૂકી છે.
ભારતમાં એલર્ટ
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં રવિવારે મધ્યમ સ્તરના હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી હતી. રવિવારે સાંજે 5 વાગ્યા બાદ 24 કલાકની અંદર આ હિમપ્રપાત થવાની આશંકા હતી. બરફ અને હિમપ્રપાત અધ્યયન કેન્દ્ર (એસએએસઇ) દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. એસએએસઇ અનુસાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બાંદીપુરા, બારામુલા, અનંતનાગ, ગાંદરબલ, કુલગામ, બડગામ, પુંછ, કિશ્તવાડ અને કારગિલ જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ જ સમયગાળા માટે મધ્યમ સ્તરની ચેતવણી હિમાચલ પ્રદેશના કુલ્લૂ, ચાંબા, લાહૌલ-સ્પીતિ, મંડી, કાંગડા, સિરમૌર, શિમલા અને કિન્નૌર જિલ્લાઓમાં પણ જાહેર કરવામાં આવી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
