મરીન વિવાદઃ યૂરોપીય સંઘની ભારતને ચેતવણી
યૂરોપીય સંઘના વિદેશી નીતિના પ્રમુખ કૈથરીન એસ્ટને ઇટલીના રાજદૂત અંગે ભારતને કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર ચિંતા વ્યક્ત કરીછે. એસ્ટને 1961ની વિયના સંઘિનો હવાલો આપતા કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો માટે આ સંઘિનું પાલન કરવામાં આવવું જોઇએ. એસ્ટને કહ્યું છે કે જો ભારત ઇટલીના રાજદૂતની સ્વતંત્રતા પર રોક લગાવે છે, તો તે આ સંઘિના નિયમોનું ઉલ્લંઘન હશે.
યૂરોપીય સંઘના આ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે આ વિવાદનો હલ બન્ને દેશો વચ્ચે વાતચીત અને સહમતિથી જ સંભવ છે. યૂરોપીય સંઘના આ નિવેદનમાં સોમવારે ઇટલીના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનની ઝલક જોવા મળે છે, જેમાં ઇટલીના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતીય કોર્ટનો નિર્ણય દ્વિપક્ષીય પ્રતિરક્ષા કાયદાનું ઉલ્લંઘન છે. ઇટલીનું કહેવું છે કે, બન્ને નૌસૈનિકોના મામલામાં આંતરરાષ્ટ્રીય કાયદો જ લાગુ થાય છે. આ મામલાનો હલ આંતરરાષ્ટ્રીય કાયદા અનુરુપ જ નિકળવો જોઇએ. આ ઇરાદાથી ઇટલીએ બીજી ન્યાય પ્રક્રિયા અપનાવવા પર જોર આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ગત મહિને ઇટલીમાં થયેલી સંસદીય ચૂંટણીમાં વોટ આપવા માટે આ બન્ને નૌસૈનિકોને 4 અઠવાડિયા માટે ઇટલી જવાની પરવાનગી એ શરતે આપી હતી કે તે ભારત પરત ફરશે, પરંતુ આ બન્નેએ એવું કર્યું નથી. જ્યારે ઇટલીના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વિવાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આવે છે, તેથી તેનો હલ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમો અનુસાર થવો જોઇએ. નોંધનીય છે કે આ વિવાદ વકરતા મનમોહન સરકારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.