ઇરાકી સેનાને મોસુલમાં મળી જીત, ISISને મળી વધુ એક હાર
ઇરાકી સેનાને મોસુલમાં મળી મોટી જીત.મોસુલ હતું આઇએસઆઇએસનું ઘર. ઇરાકી સેના મોસુલથી આંતકીઓનો કર્યો ખાતમો.
આતંકવાદી સંગઠ ઇસ્લામિક સ્ટેટનો મોસુલથી સંપૂર્ણ પણે ખાત્મો કરવામાં આવ્યો છે. ઇરાકી સેનાએ મોસુલમાં આઇએસઆઇએસને નષ્ટ કરી દીધું છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાને એક સમય આંતકી સંગઠનનું ઘર માનવામાં આવતું હતું. પણ હવે તેનો સંપૂર્ણ પણે નાશ કરવામાં આવ્યો છે. આઇએસઆઇએસનો મોસુલથી પણ હવે સફાયો કરવામાં આવ્યો છે.જો કે મોસુલ હવે એક ખંડર બની ચૂક્યું છે. જેમાંથી 10 લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં મરી ચૂક્યા છે.

વડાપ્રધાન હૈદર અલ-અબદીએ પોતે મોસુલ પહોંચીને સેનાની જીતની શુભકામનાઓ આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ સૈન્ય કાર્યવાહીમાં આઇએસઆઇએસ આતંકીઓ જીવ બચાવવા માટે નાશભાગ કરી રહ્યા હતા અને કેટલાક લોકોએ ટિગરિસ નદીમાં કૂદી પણ ગયા હતા. પણ આવા 30 આતંકીઓને ઇરાકી સેનાએ મારી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે કુલ 9 મહિના ચાલેલા આ યુદ્ધમાં આખરે ઇરાકી સેનાએ આઇએસઆઇએસને મોસુલમાંથી ઉખાડી ફેંક્યા છે.












Click it and Unblock the Notifications
