એક એંજીનિયરથી રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા મોહંમદ મુર્સી
કાહિરા, 4 જૂલાઇ: મિશ્રમાં ગત બે વર્ષોમાં આ બીજીવાર છે જ્યારે જનતાના આક્રોશે એક ક્રાંતિનું રૂપ લઇ લીધું હોય અને રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરી દિધા. મોહંમદ મુર્સીને એક વર્ષ પહેલાં જ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે જનતાની અપેક્ષા પર ખરા ન ઉતરવાના કારણે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા. ત્યારબાદ સેનાએ કમાન સંભાળી લીધી છે, સાથે જ જલ્દી રાષ્ટ્રપતિ ચુંટણીની જાહેરાત કરી છે.
કાઇરો
નવ નિર્વાચિત રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેતાં મોહંમદ મુર્સી.
કાઇરો
એક તરફ રાષ્ટ્રપતિનો વિરોધ થઇ રહ્યો હતો તો કેટલાક સમર્થકોએ મોહંમદ મુર્સીના પક્ષમાં રેલી કાઢી.
તહરીર સ્કવાયર
રાષ્ટ્રપતિ મોહંમદ મુર્સીને હટાવ્યા બાદ 'તહરીર ચૌક' પર ધ્વજ ફરકાવતા લોકો.
કાઇરો
મોહંમદ મુર્સી અને ઇસ્લામિક સંવિધાનના વિરોધી રાષ્ટ્રપતિ ભવનની બહાર જશ્ન મનાવી રહ્યાં છે.
કાઇરો
મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીના હેડક્વાર્ટર પર હુમલા દરમિયાન આક્રોશ વ્યક્ત કરતાં પ્રદર્શનકારી.
કાઇરો
કાહરોમાં રાષ્ટ્રપતિ ભવન બહાર પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી.
કાઇરો
કાઇરોમાં પ્રદર્શન દરમિયાન વિરોધીઓ પર પથ્થરમારો કરી રહેલો આંદોલનકારી.
મોહમંદ મુર્સીનો જન્મ
મુર્સીનો જન્મ 1951માં શર્કિયા, મિશ્રમાં થયો હતો. તેમને અમેરિકાના કાહિરા અને કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું છે. 2001-2005 સુધી એક અપક્ષ ઉમેદવાર રહ્યા. રાજકારણમાં આવ્યા પહેલાં મોહંમદ મોર્સી એક એન્જીનિયર હતા.
મોહંમદ મુર્સી મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીના પ્રમુખ નેતા છે. જ્યારે મુસ્લિમ બ્રધરહુડના એક અન્ય નેતા ખૈરાત અલ-શાતેરને અપરાધિક મામલાના કારણે રાષ્ટ્રપતિ ઉમેદવાર હોવાના માટે અયોગ્ય ગણાવ્યા હતા તો મોહંમદ મુર્સીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
જો કે શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે તે પોતાના શાંત સ્વભાવ અને એન્જીનિયરીંગના ધંધાના કારણે આ વોટરોને આકર્ષવામાં સફળ રહેશે પરંતુ એક સારા વક્તા તરીકે તેમને પ્રશંસા મેળવી. તેમનું કહેવું હતું કે તે એક લોકતાંત્રિક, સભ્ય અને ધાર્મિક આઝાદી રાખનાર રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગતા હતા પરંતુ તે તેમાં સફળ રહ્યા નહી.