સીરિયા પર મિસાઇલ હુમાલાના સમાચારથી શેરબજારમાં ધડાકો
સીરિયા, 3 સપ્ટેમ્બર: સીરિયા પર અમેરિકાએ હુમલો કરી દિધો છે. રશિયાના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સીરિયામાં થયેલા હુમલાની શરૂઆતમાં બે મિસાઇલ તાકવામાં આવી હતી.
ન્યુઝ એજન્સી રોઇટરના હવાલેથી આપવામાં આવેલા સમાચાર મુજબ આ વાતનો દાવો કરવામાં આવ્યો હતો કે સીરિયામાં બે મિસાઇલ તાકવામાં આવી હોવાના પુરવા મળ્યા છે. આ મિસાઇલ ભૂમધ્ય સાગરમાંથી તાકવામાં આવી છે. રૂસના રક્ષામંત્રીએ રાષ્ટ્રપતિ પુટિનને હુમલાની જાણકારી આપવામાં આવી હતી.
આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે સીરિયામાં ચાલુ હિંસાના કારણે ત્યાં પોતાનું ઘરબાર છોડીને શરણની શોધમાં બહાર જનાર લોકોની સંખ્યા વીસ લાખને પાર કરી ગઇ છે. ગત 12 મહિનાઓમાં જ ત્યાં લગભગ 18 લાખ લોકો પોતાનું ઘરબાર છોડીને શરણાર્થી બનવું પડ્યું છે.
એજન્સીની વિશેષ દૂર એજલીના જોલીએ કહ્યું હતું કે જો ગતિએ સ્થિતી બગડતી રહી તો થોડા સમયમાં પડોશી દેશ ધ્વસ્ત થવાની કગારે પહોંચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીરિયામાં માર્ચ 2011 થી જ સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે સઘર્ષ ચાલુ છે.પરંતુ અમેરિકાએ સ્પષ્ટતા રજૂ કરતાં કહ્યું હતું કે મિસાઇલો સીરિયા પર પડી નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ મિસાઇલ તાકવાની વાતને નકારી નથી. નાટોએ પણ સીરિયા પર મિસાઇલ પડવા અંગે મનાઇ કરી દિધી છે.
એક સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર અલ અરબિયાના બ્યુરો ચીફે ના તો હુમલાની પુષ્ટિ કરી ના તો ઘટનાની મનાઇ કરી. તેમને કહ્યું હતું કે આ કયા પ્રકારનો પ્રોપેગેંડાનો પણ ભાગ હોઇ શકે છે. મિસાઇલ તાકવાની સમાચાર બાદ ભારતીય બજારમાં ધડાકો થયો. સેંસેક્સમાં 700 અને નિફ્ટીમાં 200 અંક ઘટાડો નોધાયો છે.