Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાનઃ રાષ્ટ્રપતિ પદ પરથી ઝરદારીની વિદાઇ

Asif-Ali-Zardari
ઇસ્લામાબાદ, 8 સપ્ટેમ્બરઃ પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો કાર્યકાળ રવિવારે સમાપ્ત થઇ જશે અને તેમની ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રપતિ ભવનથી વિદાઇ કરવામાં આવશે. આ પહેલા ઝરદારીએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના કર્મચારીઓને પોતાના તરફથી વિદાઇ ભોજન આપ્યું હતું. આ તકે તેમણે કહ્યું કે, તે પૂરા સન્માન સાથે પોતાના સંવેધાનિક કાર્યકાળ પૂરો થયા બાદ પદ છોડવાથી ઘણા જ ખુશ છે. તેમણે કહ્યું છેકે, તેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવામાં રસ દાખવતા નથી.

ઝરદારીએ કહ્યું કે, તેમણે તમામ નિર્ણય દેશના હિતમાં કર્યા અને પોતાના અધિકાર સંસદમાં સોંપ્યા. પાકિસ્તાનના 67 વર્ષના ઇતિહાસમાં ઝરદારી પહેલા એવા રાષ્ટ્રપતિ છે, જેમણે પોતાનો પાંચ વર્ષનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને તેમના સ્થાને એક નિર્વાચિત રાષ્ટ્રપતિ પદ સંભાળશે.

ઝરદારીનું સ્થાન મમનૂન હુસૈન લેશે. રાષ્ટ્રપતિ તરીકે ઝરદારીના કાર્યકાળમાં પાકિસ્તાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન જ્યાં પાકિસ્તાનમાં ચરમપંથી હિંસા મોટો પડકાર બની રહી. તો બીજી તરફ એબેટાબાદ શહેરમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને અમેરિકન સેન્ય દ્વારા ઠાર મારવામાં આવવા અને અમેરિકા અને અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહ્યાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X