ચાંચિયાઓએ કર્યું 24 ભારતીયોનું અપહરણ

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ જહાજની ઓળખ એમવી કૉટનના રૂપમાં કરવામાં આવી છે, જે તુર્કીની એક કંપની છે. અપહરણ સમયે જહાજ જેંતિલ બંદરગાહથી 15 માઇલની દૂરી પર હતું. વર્ષ 2007માં નિર્મિત 184 મીટર લાંબા આ જહાજની ભાર વહનની કુલ ક્ષમતા 23, 248 ટન છે.
જહાજરાણી મહાનિદેશાલયના અધિકારીએ જહાજના અપહરણની પૃષ્ટિ કરતા જણાવ્યું છે કે, ઘટના સંદર્ભે વિસ્તૃત નિરીક્ષણની રાહ જોવાઇ રહી છે.
જહાજની કંપનીના અધિકારીઓએ હજુ સુધી એ અંગે જણાવ્યું નથી કે, લુટેરાઓએ ખંડણીની માંગણી કરી છે કે નહીં. આ બાબત કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જહાજમાં સવાર તમામ લોકોની સુરક્ષિત વાપસીને પહેલી પ્રાથમિકતા બતાવવામાં આવી છે. કંપનીએ તુર્કી સરકાર અને નૌસેનાની આ ઘટનાની જાણકારી આપી છે.












Click it and Unblock the Notifications
