ચાંચિયાઓએ કર્યું 24 ભારતીયોનું અપહરણ

Pirates-hijack
મુંબઇ, 17 જુલાઇઃ પશ્ચિમી આફ્રિકન દેશ ગૈબૉનના તટ નજીક સમુદ્રી ચાંચિયાઓએ ઓઇલ ભરેલા એક જહાજનું અપહરણ કર્યું છે. ચાંચિયાઓએ જહાજ ચાલક દળના 24 ભારતીય સભ્યોનું પણ અપહરણ કરી લીધું છે. જે સમયે આ ઘટના ઘટી તે સમયે આ જહાજ ગુયાનાની ખાડી સ્થિત બંદરગાહ પર રોકાવાની પ્રતિક્ષા કરી રહ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ જહાજની ઓળખ એમવી કૉટનના રૂપમાં કરવામાં આવી છે, જે તુર્કીની એક કંપની છે. અપહરણ સમયે જહાજ જેંતિલ બંદરગાહથી 15 માઇલની દૂરી પર હતું. વર્ષ 2007માં નિર્મિત 184 મીટર લાંબા આ જહાજની ભાર વહનની કુલ ક્ષમતા 23, 248 ટન છે.

જહાજરાણી મહાનિદેશાલયના અધિકારીએ જહાજના અપહરણની પૃષ્ટિ કરતા જણાવ્યું છે કે, ઘટના સંદર્ભે વિસ્તૃત નિરીક્ષણની રાહ જોવાઇ રહી છે.

જહાજની કંપનીના અધિકારીઓએ હજુ સુધી એ અંગે જણાવ્યું નથી કે, લુટેરાઓએ ખંડણીની માંગણી કરી છે કે નહીં. આ બાબત કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જહાજમાં સવાર તમામ લોકોની સુરક્ષિત વાપસીને પહેલી પ્રાથમિકતા બતાવવામાં આવી છે. કંપનીએ તુર્કી સરકાર અને નૌસેનાની આ ઘટનાની જાણકારી આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X