ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર છે યુવરાજ સિંહ

કેન્સર સામેનો જંગ જીતીને ટી20માં સફળ પુનરાગમન કર્યા પછી યુવરાજ વધુ પ્રતિબદ્ધ જણાઇ રહ્યો છે. નોર્થ ઝોન તરફથી લગાવેલી બેવડી સદીમાં યુવરાજે બતાવી દીધું છે કે હવે વધારે સમય સુધી તેને ટેસ્ટ ટીમથી દૂર રાખી શકાશે નહીં. યુવરાજનું કહેવું છે કે હવે તે માત્ર પોતાના પ્રદર્શન પર જ ધ્યાન આપી રહ્યો છે. તેને એ વાતની જરા પણ ચિંતા નથી કે તેને ટેસ્ટ ટીમ માટે પસંદ કરવામાં આવશે કે નહીં.
વનડે અને ટી20માં મીડલ ઓર્ડરના શક્તિશાળી બેટ્સમેન યુવરાજ સિંહ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરાવવા ઇચ્છે છે. આ પહેલા ટેસ્ટ ટીમમાં નંબર 6 માટે સુરેશ રૈનાને તકો આપવામાં આવી, પરંતુ તે પસંદકારીને પ્રભાવિત કરી શક્યો નહીં. જ્યારે રોહિત શર્મા હજુ પણ ટેસ્ટ ટીમમાં પર્દાર્પણની પ્રતિક્ષા કરી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનને જોઇને એવું લાગી રહ્યું છે કે ટેસ્ટમાં તેને તક મળવી મુશ્કેલ છે.
રૈનાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 2010માં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીથી કરી હતી, પરંતુ તે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરવામાં નિષ્ફળ રહ્યો. આ દરમિયાન તેણે 17 મેચોમાં 1 સદી અને સાત અડધી સદીની મદદથી 768 રન બનાવ્યા છે. તેવામાં યુવરાજ સિંહને એક તક આપવામાં આવી શકે છે. તેણે પોતાના પુનરાગમન પછી શાનદાર પ્રદર્શન કર્યું છે. યુવરાજે પાંચ ટી20માં 66 રન બનાવ્યા છે અને આઠ વિકેટ લીધી છે.
આ ઉપરાંત દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને પોતાની તૈયારીઓનો પરચો આપી દીધો છે. યુવરાજ ઉપરાંત મનોજ તિવારી, બદ્રીનાથ પણ ટેસ્ટમાં સ્થાન મેળવવાની રેસમાં છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 નવેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆત થશે. આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે ને બે ટી20 મેચોની શ્રેણી પણ રમાવાની છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
