બેન સ્ટોક્સનું એશિઝમાં રમવું મુશ્કેલ, આંગળીની કરાવી સર્જરી
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તેની તૂટેલી તર્જની પર બીજી સર્જરી કરાવી છે. જે કારણે તે એશિઝમાં ન રમી શકે તેવી શક્યતા છે.
નવી દિલ્હી : ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તેની તૂટેલી તર્જની પર બીજી સર્જરી કરાવી છે. જે કારણે તે એશિઝમાં ન રમી શકે તેવી શક્યતા છે. ભારત સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયા બાદ અનિશ્ચિત રજા પર રહેલા સ્ટોક્સને ચાર મહિના પહેલા IPL 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સમયે ડાબી તર્જનીમાં ઇજા પહોંચતા સર્જરી કરાવવી પડી હતી.

લીડ્સ સ્થિત કન્સલ્ટન્ટ ડૌગ કેમ્પબેલ જેમણે એપ્રિલમાં બેનની પ્રથમ સર્જરી પણ કરી હતી, તેમણે સોમવારના રોજ સ્ટોક્સની સાજી આંગળીમાંથી સ્ક્રૂ કાઢ્યો અને ઈજાની સારવાર કરી હતી. કેટલાક પેશીઓ આવવાના કારણે કંડરા અને રજ્જૂને નુકસાન થયું હતું. તે અસ્થિબંધનની આસપાસ ભયંકર પીડા પેદા કરી રહ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફ્રેક્ચર થયેલી આંગળી હવે ઘણી સારી હશે અને સ્ટોક્સ ભવિષ્યમાં લાંબી પીડા વગર રમી શકશે, પરંતુ 30 વર્ષીય બેન તાજેતરમાં મેદાનમાં પરત ફરે તેવી અપેક્ષા નથી. ઉલ્લેખનીય છે કે, એશિઝ ડિસેમ્બરમાં શરૂ થાય છે. બુધવારના સ્ટોક્સે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે પોતાની પત્ની સાથે અને ઈજાગ્રસ્ત આંગળી પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો.
સ્ટોક્સે ક્રિકેટમાં પરત ફરવાના થોડા અસફળ પ્રયાસો કર્યા છે. તેણે આ વર્ષે જૂનમાં ડરહામ માટે ટી 20 રમ્યો હતો અને જુલાઈમાં પાકિસ્તાન સામેની વનડે શ્રેણી માટે પણ તેની પસંદગી થઈ હતી. આ શ્રેણી પહેલા ઇંગ્લિશ ક્રિકેટ ટીમમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું અને ઘણા ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરવા પડ્યા હતા. જે કારણે સ્ટોક્સને રમવા માટે અનપેક્ષિત કોલ આવ્યો હતો. ત્યારબાદ સ્ટોક્સે બીજી હરોળની ઇંગ્લિશ ટીમનું નેતૃત્વ કર્યું અને ઇંગ્લેન્ડને 3-0થી જીતી અપાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમિયાન સ્ટોક્સને પીડામાંથી પસાર થવું પડ્યું હતું, તેણે પેઇનકિલર ઇન્જેક્શન લઈને શ્રેણીમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 26 જુલાઈથી કોઈ મેચ રમી નથી અને ભારતીય ટીમે પણ સ્ટોક્સનો સામનો કર્યા વિના સમગ્ર ટેસ્ટ શ્રેણી રમી છે. સ્ટોક્સ આગામી ટી 20 વર્લ્ડ કપ માટે પણ ઉપલબ્ધ નથી, જે યુએઈમાં યોજાવાનો છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
