વિરેન્દ્ર સહેવાગના વલણની નિંદા કરતા પૂર્વ કોચ ગ્રેગ ચેપલ
ભારતમાં પોતાના કાર્યકાળ અંગે તેમણે કહ્યું કે સહેવાગ પોતાની શરતો પર રમનાર ખેલાડી છે. જેના કારણે તે પોતાની કુશળતાનો યોગ્યરીતે ઉપયોગ કરી શકતા નથી. હું તેનાથી નારાજ હતો, પરંતુ હું તેમને પસંદ કરતો હતો. મેં સહેવાગ અંગે એ વાત જલદી જાણી લીધી હતી કે તેમનામાં સમર્પણની ખોટ છે, જે તેમના જેવા ખેલાડીને ટોચ પર લઇ જતા અટકાવે છે. તે એ વાતથી વધારે ખુશ રહે છે જે તેમને આસાનીથી મળી જાય છે.
વર્ષ 2005થી વિશ્વકપ 2007 સુધી ભારતના કોચ પદે રહેલા ચેપલે આગળ લખ્યું છે કે, હું તેમની ફિટનેસ પરેશાન રહેતો હતો. ફિટનેસ પર તે વઘું મહેનત કરતા નથી. જો કે, તે એક સારા બેટ્સમેન અને ઓફસ્પિન બોલર પણ છે.
ચેપલે લખ્યું છે કે, સહેવાગ ટીમના સુકાની બનવા ઇચ્છે છે અને તેમની પાસે તેની યોગ્યતા પણ છે, પરંતુ તેમણે દરેક તકનો લાભ લેવો પડશે. જે તે કરી રહ્યાં નથી. સહેવાગના વલણ સામે પ્રશ્નો ઉઠાવતાં ચેપલે કહ્યું કે, જ્યારે હું ભારતનો કોચ હતો ત્યારે તે મોટો સ્કોર બનાવવાના બદલે પોતાના સ્ટ્રાઇક રેટને લઇને વધારે ગંભીર હતા. જેના કારણે તે પહેલા બોલથી જ શોટ ફટકારવાનું શરૂ કરી દેતા હતા અને જ્યારે ટીમને તેમની પાસેથી મોટા સ્કોરની આશા રહેતી ત્યારે તે જલદી આઉટ થઇ જતા હતા.
નોંધનીય છે કે ચેપલ આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાને લઇને કેટલાક વિવાદિત નિવેદન કરી ચૂક્યાં છે. હવે તેમના આ નિવેદન પછી સહેવાગ કેવા પ્રકારની પ્રક્રિયા આપશે તે જોવાલાયક બાબત હશે.