ભારત સરકાર દ્વારા પાક ટીમને રમવાની પરવાનગી નહી
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: ભારતમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી ચેમ્પિયન્સ લીગ ટી20માં પાકિસ્તાનની ટીમ 'ફૈસલાબાદ વોલ્વસ' નહી રમી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સુરક્ષાના કારણોને લીધે ટીમને વિઝા આપવાથી મનાઇ કરી દિધી હતી.
સીએનએ આઇબીએનના સમાચાર મુજબ ભારત સરકારે ટીમના વિઝા ઘણા સમયથી હોલ્ડ પર રાખ્યો હતો પરંતુ નિયંત્રણ રેખા 'લાઇન ઓફ કન્ટ્રોલ' પર તણાવ વધવાથી મંત્રાલયે વિઝા જાહેર કર્યા નથી.
આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને 13 ઓગષ્ટે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમને વિઝા વિદેશ મંત્રાલયને મળી ચુક્યા હતા. અમે પરવાનગી આપતાં પહેલાં આ બધા મુદ્દાઓ પર પૂર્ણ વિચાર કરીશું. વોલ્વસ પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં રમાવનાર એકમાત્ર ટીમ છે, જેને મોહાલીમાં પોતાની પ્રથમ ક્વોલીફાઇગ મેચ રમવાની હતી.
આ ટીમને કેપ્ટન મિસ્બાહ ઉલ હક છે. તેમને કહ્યું હતું કે મને આશા છે કે અમે ભારતમાં રમી શકીશું. આવું અમારા ખેલાડીઓ માટે ઘણું જરૂરી છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે વધુ અનુભવી નથી.