ભારત સરકાર દ્વારા પાક ટીમને રમવાની પરવાનગી નહી
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: ભારતમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી ચેમ્પિયન્સ લીગ ટી20માં પાકિસ્તાનની ટીમ 'ફૈસલાબાદ વોલ્વસ' નહી રમી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સુરક્ષાના કારણોને લીધે ટીમને વિઝા આપવાથી મનાઇ કરી દિધી હતી.
સીએનએ આઇબીએનના સમાચાર મુજબ ભારત સરકારે ટીમના વિઝા ઘણા સમયથી હોલ્ડ પર રાખ્યો હતો પરંતુ નિયંત્રણ રેખા 'લાઇન ઓફ કન્ટ્રોલ' પર તણાવ વધવાથી મંત્રાલયે વિઝા જાહેર કર્યા નથી.
આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને 13 ઓગષ્ટે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમને વિઝા વિદેશ મંત્રાલયને મળી ચુક્યા હતા. અમે પરવાનગી આપતાં પહેલાં આ બધા મુદ્દાઓ પર પૂર્ણ વિચાર કરીશું. વોલ્વસ પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં રમાવનાર એકમાત્ર ટીમ છે, જેને મોહાલીમાં પોતાની પ્રથમ ક્વોલીફાઇગ મેચ રમવાની હતી.

આ ટીમને કેપ્ટન મિસ્બાહ ઉલ હક છે. તેમને કહ્યું હતું કે મને આશા છે કે અમે ભારતમાં રમી શકીશું. આવું અમારા ખેલાડીઓ માટે ઘણું જરૂરી છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે વધુ અનુભવી નથી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
