શ્રીનિવાસને નૈતિકતાના ધોરણે રાજીનામુ આપવું જોઇએ : રમત મંત્રાલય

srinivasan-bcci-chief
નવી દિલ્હી, 29 મે : આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સ્પોર્ટ્સ મંત્રાલયે નૈતિક્તાના ધોરણે બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસનને હોદ્દો છોડી દેવાનું કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જ્યાં સુધી આ કૌભાંડમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમણે હોદ્દો છોડી દેવો જોઈએ. શ્રીનિવાસનને આવી જ સલાહ આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા, બીસીસીઆઈના ઉપપ્રમુખ અરૂણ જેટલી અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આપી છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, બીસીસીઆઈ મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગના આરોપોમાં તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં હિતોનો ટકરાવ થઈ રહ્યો છે તેથી બીસીસીઆઈના પ્રમુખે તપાસનું પરિણામ આવે ત્યાં સુધી અને નૈતિક્તાને ખાતર તેમનું રાજીનામું આપી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આઈપીએલનાં કમિશનર રાજીવ શુક્લાએ શ્રીનિવાસનને સલાહ આપી હતી કે, શ્રીનિવાસને તેમનાં જમાઈ અને આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ ગુરુનાથ મયપ્પન સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમણે પદ પર રહેવું ન જોઈએ.

જોકે ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસને શુક્લાની સલાહને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે હું રાજીનામું નહીં આપું. શ્રીનિવાસન આ સમગ્ર મામલામાં પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. રાજીવ શુક્લાએ એમ પણ કહ્યું કે, તપાસનાં પરિણામોની બીસીસીઆઈ પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી એને સીધા જ લાગુ કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X