આ મોટી હાર જ નહીં પરંતુ જબરદસ્ત ધોલાઈ છે-સુનિલ ગાવસ્કર
દુબઈના મેદાન પર રમાયેલી શાનદાર ભારત-પાકિસ્તાન મેચનું પરિણામ ભારતની તરફેણમાં આવ્યું ન હતું અને પાકિસ્તાનની ટીમે વિશ્વ કપમાં પ્રથમ વખત ભારત સામેની મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
નવી દિલ્હી : દુબઈના મેદાન પર રમાયેલી શાનદાર ભારત-પાકિસ્તાન મેચનું પરિણામ ભારતની તરફેણમાં આવ્યું ન હતું અને પાકિસ્તાનની ટીમે વિશ્વ કપમાં પ્રથમ વખત ભારત સામેની મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની આ હાર બાદ રમત જગતના મોટા ખેલાડીઓ ભારતીય ટીમના પ્રદર્શન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તેમાં ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે, જેમને ભારતીય ટીમની હારને આંચકો ગણાવ્યો છે. રવિવારે રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 151 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને 10 વિકેટે વિજય નોંધાવ્યો હતો.
આ જીત સાથે પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભારતની સતત જીતનો સિલસિલો રોકી દીધો છે. ભારતીય ટીમે સતત 12 વખત પાકિસ્તાનને હરાવ્યું હતું, જે બાદ પાકિસ્તાને તેની પ્રથમ મેચ જીતી છે. આ મેચમાં પાકિસ્તાને વિરાટ સેનાને સંપૂર્ણ રીતે ઘેરી રમતના દરેક ભાગમાં પછાડ્યા હતા.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમની હારને જબરદસ્ત ફટકો ગણાવ્યો અને કહ્યું કે આ કોઈ મોટી હાર નથી, ભારતની દૃષ્ટિએ આ ખરાબ રીતે ધોલાઈ બાદ હાર છે. જો કે, ગાવસ્કરને આશા છે કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની બાકીની મેચોમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વાપસી કરશે.
તેમને
કહ્યું
કે,
આશા
છે
કે
ભારતીય
ટીમ
ઝડપથી
સંભાળશે,કારણ
કે
તે
ખૂબ
જ
જરૂરી
છે.
તમારે
છેલ્લી
મેચમાં
જે
બન્યું
તે
ઝડપથી
ભૂલી
જવું
પડશે
અને
વર્લ્ડ
કપમાં
તમારી
આગામી
મેચો
પર
ધ્યાન
કેન્દ્રિત
કરવું
પડશે.
મને
ખાતરી
છે
કે
અમારી
ટીમ
આગામી
મેચમાં
સારી
વાપસી
કરશે
અને
જીતના
માર્ગ
પર
રહેશે.
સુનીલ
ગાવસ્કર
પહેલા
ભારતીય
ટીમના
ઝડપી
બોલર
આશિષ
નેહરાએ
પણ
આ
હારને
પાકિસ્તાનની
નિર્દય
જીત
ગણાવી
હતી
અને
કહ્યું
હતું
કે
તેને
લોકોને
તેની
નોંધ
લેવા
માટે
મજબૂર
કરી
દીધા
છે.
તેમને કહ્યું કે, જે લોકો પાકિસ્તાનને ટાઈટલ જીતવા માટે દાવેદાર માનતા ન હતા અને એ વાત પર સવાલ ઉઠાવી રહ્યા હતા કે તે ભાગ્યે જ સેમિફાઈનલમાં પહોંચશે, આ તમામ લોકોને પાકિસ્તાનની ટીમે જવાબ આપ્યો છે. ટી-20 ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે, ભારત સાથે પૂલમાં 3 મજબૂત ટીમ છે અને કોઈપણ કોઈપણને હરાવી શકે છે. પાકિસ્તાને જે રીતે રમ્યું તેના કારણે બધાએ તેની નોંધ લીધી છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે તેની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ મંગળવારે તેની શરૂઆતની મેચ પાકિસ્તાન સામે રમશે.