વિરાટ કોહલી ગમે ત્યારે વનડેની કપ્તાની છોડી શકે છે!
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ICC T20 વર્લ્ડ કપ કેપ્ટન તરીકે તેનું છેલ્લુ અસાઈનમેન્ટ હતું. આ સાથે જ રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.
નવી દિલ્હી : વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ICC T20 વર્લ્ડ કપ કેપ્ટન તરીકે તેનું છેલ્લુ અસાઈનમેન્ટ હતું. આ સાથે જ રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. તેમનું સ્થાન રાહુલ દ્રવિડે લીધુ છે. રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં કોચની ભૂમિકા ભજવશે. બીજી તરફ કોહલી-શાસ્ત્રીની જુગલબંધી ઘણી સફળ સાબિત થઈ છે. સાથે મળીને બન્નેએ ટીમને મોટી ઉપલબ્ધીઓ અપાવી છે. મનાઈ રહ્યું છે કે કોહલી હવે વનડે ટીમની કેપ્ટનશીપ છોડી દેશે, જેથી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજી તરફ રવિ શાસ્ત્રીએ એ પણ ખુલાસો કર્યો કે કોહલી આવનારા સમયમાં ગમે ત્યારે ODIની કેપ્ટન્સી છોડી શકે છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલી નજીકના ભવિષ્યમાં ODIની કેપ્ટનશીપ છોડી શકે છે. રવિ શાસ્ત્રીએ ઈન્ડિયા ટુડેને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રેડ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત છેલ્લા 5 વર્ષથી વિશ્વની નંબર 1 ટીમ છે. તેથી તે હાર માનવા માંગતો નથી પરંતુ તે માનસિક રીતે થાકી ગયો છે અને તે કહે છે કે હવે તે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આવનારા સમયમાં તે કદાચ ODIની કેપ્ટનશીપ છોડી શકે છે, પરંતુ એવું નથી લાગતું કે તે તરત થશે. બસ આ થઈ શકે છે.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, કોહલી કહી શકે છે કે તે માત્ર ટેસ્ટ કેપ્ટનશીપ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેનું મન અને શરીર જ આ નિર્ણય લેશે. શાસ્ત્રીએ કહ્યું કે, તે પહેલો ખેલાડી નહીં હોય, ભૂતકાળમાં આવા ઘણા ખેલાડીઓ રહ્યાં છે, જેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડી દીધું છે. જો કે, કોહલી નવેમ્બર 2019 થી એકપણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો નથી. સળંગ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપનો ભાર તેના ફોર્મ પર પ્રભાવ પાડી રહ્યો હતો, જેના કારણે તેણે T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જાહેરાત કરી હતી કે તે ભવિષ્યમાં T20Iની કેપ્ટનશિપ નહીં કરે. હવે રોહિત શર્માને T20Iનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કોહલી ODIની કેપ્ટન્સી છોડી દે તો રોહિત આ ફોર્મેટની કેપ્ટનશિપ પણ સંભાળી શકે છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
